SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યમાં અભિમાન કર્યું ન હતું તેથી તેના ફળમાં તેમને અભિમાન થતું નથી. તેથી ધર્મનું પુણ્ય પરંપરા મેક્ષનું કારણ કહ્યું છે કેમ કે ધમી પુણ્યને છોડીને પુણ્યને અભાવ કરીને મોક્ષ કરશે. પણ પુણ્યથી મોક્ષ થતું જ નથી. ૯૪૦ પ્ર. ક્રિયાકાંડ, બાહ્ય ક્રિયા, ઉપવાસાદિથી આત્માને કાંઈ લાભ છે ? ઉ. વ્રતનિયમથી પુણ્ય બંધાય તે અધાતિયાં કર્મની પ્રકૃતિરૂપ છે. તેવું તો જીવે ઘણીવાર કર્યું છે પણ ઘાતિયાં કર્મને ય કરવા તીર્થકર જેવાએ લક્ષ રાખ્યો છે, તે જીવ ચૂકી ગણત્રી થઈ શકે તેવી ક્રિયામાં રાચી, સાચી સમજણ કરવાનું ચૂકે છે. આત્મસ્વભાવથી વિપરીત ક્રિયાકાંડ, બાહ્ય કર્મ કરવાથી શું લાભ? અનેક પ્રકારે ઉપવાસાદિ બાહ્ય તપથી પણ શું લાભ? આતાપન યોગરૂપ કાયકલેશથી પણ શું લાભ? તેનાથી મોક્ષમાર્ગનું કશું કાર્ય સહેજ સરખું પણ થતું નથી. મેક્ષપ્રાપ્તિને ભાવ પણ આસવ ભાવ છે, અને તે કર્મ બંધનું કારણ છે. ૯૪૧ પ્ર. વિષય વિરક્તિથી ભૂતકાળનાં કર્મોને ક્ષય કરી શકાય છે ? ઉ. જ્યાં સુધી જીવ વિષયભોગને વશ હોય છે ત્યાં સુધી તે જ્ઞાનની પ્રાપ્તિ કરી શક્તા નથી, અને જ્ઞાનને પ્રાપ્ત કર્યા વિના એલી વિષયવિરક્તિથી ભૂતકાળનાં કર્મોને ક્ષય કરી શકાતું નથી. સારાંશ એ છે કે જ્ઞાન પ્રાપ્ત કરીને વિષયભોગ તજ એ શ્રેષ્ઠ છે. ૯૪ર પ્ર. વ્રત અને તપશ્ચર્યાથી નિર્વાણ ન થાય તે શું તે ન કરવાં ? ઉ. વ્રત અને તપશ્ચર્યા કરનારને ભલે નિર્વાણ પ્રાપ્ત ન થાય છતાં પણ તેને સાંસારિક સુખની પ્રાપ્તિ થાય અને મોક્ષ સાધનામાં તે સહકારિકારણ બને. ' ૯૪૩ પ્ર. પૈસા વાપરવાની ભાવના હોય તે કેવાં શુભ કાર્યમાં વાપરવા ? ઉ. ધર્મપ્રાપ્તિ તથા ધર્મ આરાધનામાં પિતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વાપરવા પહેલાં તે સંબંધી વિચાર કરતાં પણ ધર્મધ્યાન થાય છે. જગતના જીવોને જ્ઞાનીની આજ્ઞાની પ્રાપ્તિ કેમ થાય? તેને વિચાર કરી, જેને જેને ધન આદિની ખામીને જ્ઞાનીનાં વચનોની પરીક્ષા સર્વ જીવને સુલભ હેત | તો નિર્વાણ પણ સુલભ જ હેત, For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy