SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૧ તેથી શુભરાગને ઉપચારથી પરંપરા કારણ કહ્યું છે, પણ વાસ્તવમાં તે ખરેખર કારણ નથી. ૯૩૮ પ્ર. પુણ્યથી પ્રાપ્ત થતા વિભવ કે વિભૂતિથી મદ અથવા અભિમાન કેમ થઈ આવે છે ? ઉ. પુણ્યથી ઘરમાં ધન હોય છે એસ્ટલે કે પુરુષાર્થથી ધન મળતું નથી પણ પૂર્વેના પુણ્યથી ધન મળે છે. ધન કે વિભૂતિ અભિમાન કરાવતા નથી પણ પિોતે અભિમાન કરે છે. પૂર્વે પુણ્યભાવમાં અભિમાન સેવ્યું હતું તેથી વર્તમાનમાં વિભૂતિને સંગ મળતાં અભિમાન કરશે. અભિમાનથી મતશ્વિમ થઈ જશે. મદ ચઢી જાય કે ગરીબ માણસને આવડત નથી ને અમને આવડત છે એટલે અમે કમાયા. અમારા બાહુબળે પૈસા કમાયા છીએ. પિતાજી પાસે કાંઈ ન હતું પણ અમે અમારી આવડતથી આ બધું કમાણું, ઇત્યાદિ અનેક પ્રકારના અભિમાને થશે ને તેનાથી મતિ ભ્રષ્ટ થઈ જશે. કઈ ધર્માત્માં ગરીબ હોય તે તેની નિંદા કરશે; નિર્ધન હતા એટલે મુનિ થઈને ચાલી નીકળ્યા. આદિ મતિભ્રમ થવાથી નિંદા કરશે, અને એ રીતે વિકરહિત થઈને પાપ બાંધશે. માટે મુનિરાજ કહે છે કે અમને એવા પુણ્ય ન હજો. અભિમાનથી પુણ્ય બળી જાય છે, પાપ બાંધે છે ને દુર્ગતિમાં ચાલ્યા જાય છે. ૯૩૯ પ્ર. પણ આત્માની દષ્ટિ થયા પછી વ્રત-તપ કરવાના હેય ને ? ઉ. આત્માની દૃષ્ટિ થયા પછી જેમ જેમ સ્વરૂપમાં સ્થિરતા થાય તેમ તેને યોગ્ય વ્રત તપ આદિના વિકલ્પો સહજ આવે છે તે આસ્રવ છે. સ્વરૂપમાં સ્થિરતા થાય તે જ નિશ્ચય-વ્રત છે, તેની સાથે વિકલ્પ હોય તે વ્યવહારદ્રત કહેવાય. સમ્યગદર્શન થયા પછી સ્થિરતા વધતી જાય તેમ ત્રેતાદિના વિકલ્પ સહજ આવે છે, હઠ કરવી પડતી નથી. સમ્યફદર્શન સહિત પુણ્ય બાંધેલું, ત્યારે જેમ કંચનને કાટ લાગતું નથી, અગ્નિને ઊધઈ લાગતી નથી, તેમ જ્ઞાયક સ્વભાવમાં આવરણ, ઊણપ કે અશુદ્ધિ આવતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy