SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬o કેમકે સ્વભાવનું અધિકપણું પામ્યું નથી, તેથી પસાદિમાં અધિકપણું" ભાસવાથી મદ ચઢશે. મદથી મતિભ્રમ થશે ને મતિ ભ્રમથી પાપ કરશે. માટે આચાર્યદેવ કહે છે કે સમ્યક્દર્શન વિના અમને પુણ્ય ન હજે, કેમકે સમ્યક્દર્શન વિના અનંત વાર નવમી ગ્રેવેયક જઈ આવ્યા ને પાછો નરક નિગોદમાં રખો. ૯૩૫ પ્ર. શ્રી વાદિરાજ મુનિરાજને કુષ્ઠ રોગ સ્તુતિ કરતાં જ મટી ગયા, માનતુંગાચાર્ય દેવનાં કારાગારનાં તાળાં ભક્તામર સ્તોત્ર બોલતાં તૂટી. ગયાં, સીતાજીના નિર્દોષ શીલથી અગ્નિ પણ જળરૂપ થઈ ગયે, આવાં કથને શાસ્ત્રમાં આવે છે, તે આનાથી અમારે શું સમજવું? ઉ. પૂર્વનાં પુણયના યોગથી વાદિરાજ મુનિરાજને કોઢ મટી ગયો, માનતુંગાચાર્યનાં બંધને તૂટી ગયાં અને સીતાજીને અગ્નિકુંડ. પણ જલસરેવર બની ગયા, ત્યારે તે પુણ્યદયને આરોપ વર્તમાન પ્રભુભક્તિ અને બ્રહ્મચર્ય આદિ ઉપર કરવામાં આવે એવી પ્રથમાનુયોગની કથનપદ્ધતિ છે, તે યથાવત સમજવી જોઈએ. ૯૩૬ ક. ત્યારે અમારે પૂજા, ભક્તિ આદિ કરવાં જોઈએ કે નહીં ? ઉ. કરવાં કે ન કરવાની વાત નથી. ફરવા લાયક કાર્ય તે રાગથી ભિન્નત કરીને એક માત્ર આત્માની અનુભૂતિ કરવી તે જ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ છે, તેની સન્મુખ ઢળતાં ધમ જીવને જયાં સુધી પૂર્ણ સ્થિરતા ન થાય ત્યાં સુધી પૂજા, ભક્તિ, વ્રતાદિને શુભરાગ આવે છે, થાય છે, ભૂમિકાનુસાર શુભરાગ આવ્યા વિના રહેતા નથી, પરંતુ ધમજીવ તેને ધર્મ અથવા ધર્મનું કારણ માનતા નથી; તે શુભરાગ ફક્ત પુણ્યબંધનું કારણ છે, તેમ માને છે. (અને પુણ્યને તે ઉપાદેય નહી પણ હેય સમજે છે.) ૯૩૭ પ્ર. શુભરાગને પરંપરાએ મોક્ષમાર્ગનું સાધન કહ્યું છે ને ? ઉ. હા, કહ્યું છે, પણ પરંપરાને અર્થ શું ? સમતી ધર્માત્માને વર્તમાનમાં મોક્ષમાર્ગ છે તથા સાથે સાથે તેમની ભૂમિકાનુસાર યથાસંભવ રાગ પણ છે. તેઓ નિકટના ભવિષ્યમાં આત્મસમુખ થવાને ઉગપુરુષાર્થ કરી તે રાગને ટાળી મેક્ષ પ્રાપ્ત કરશે, અને ગયેલી એક પળ પણ પાછી મળતી નથી, અને અમૂલ્ય છે, તે પછી આખી આયુષ્યસ્થિતિ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy