SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ આમપ્રદેશનું બહાર નીકળવું તેને વિક્રિયા સમુદ્રઘાત કહે છે (જેમ દેવ આદિ પિતાના વેશ, શરીર બદલે છે તેમ). ૧૪૧૩ પ્ર. મારણાન્તિક સમુદ્ધાત એટલે? ઉ. મૃત્યુ વખત, મૂળ શરીરને છેડ્યા વિના જ્યાં આ આત્માએ ક્યાંકનું આગામી આયુષ્ય બાંધ્યું હોય તે પ્રદેશને સ્પર્શવા માટે આત્મપ્રદેશોનું બહાર નીકળવું તેને મારણાન્તિક સમુદ્દઘાત કહે છે. ૧૪૧૪ પ્ર. તેજસ સમુદ્દઘાત કેને કહે છે તે સમજાવો ? ઉ. પિતાના મનને અનિષ્ટ ઉત્પન્ન કરનાર કોઈ અન્ય કારણ જોઈને જેમને ઝેધ ઉત્પન્ન થયેલ છે તેવા સંયમના નિધાનરૂપ મહામુનિના મૂળ શરીરને છોડ્યા વિના, સિંદુરના ઢગલા જેવા પ્રકાશવાળું બાર યોજન લાંબું, સૂયંગુલના સંખ્યામાં ભાગ જેટલું મૂળવિસ્તારવાળું અને નવ જનના અગ્રવિસ્તારવાળું, બિલાડાના આકારવાળું, એક પૂતળું ડાબા ખભામાંથી નીકળીને ડાબી તરફ પ્રદક્ષિણા દઈને હૃદયમાં રહેલ વિરુદ્ધ વસ્તુને ભસ્મીભૂત કરીને, તે જ સંયમી (મુનિ) સાથે પોતે પણ ભસ્મીભૂત થઈ જાય છે, દ્વૈપાયનમુનિની પેઠે; એ અશુભ તિજસ સમુદ્રઘાત છે. લેકને વ્યાધિ, દુષ્કાળ વગેરેથી પીડિત જોઈને જેને દયા ઉત્પન્ન થઈ છે એવા પરમ સંયમને નિધાન મહર્ષિના મૂળ શરીરને છેડડ્યા વિના પૂર્વે કહેલા દેહ પ્રમાણવાળું, શુભ આકૃતિવાળું પૂતળું, જમણી તરફ પ્રદક્ષિણા કરીને, વ્યાધે દુષ્કાળ વગેરે મટાડીને ફરીથી પોતાના મૂળ સ્થાનમાં પ્રવેશ કરે છે એ શુભ તજસ સમુદ્યાત છે. ૧૪૧૫. પ્ર. આહારક સમુદ્રઘાત એટલે શું ? ઉ. જુઓ પ્રશ્ન-૩૨૬. ૧૪૧૬ પ્ર. કેવળી સમુઘાત કોને કહે છે? ઉ. કોઈ અરીહંત કેવળીનું આયુષ્ય અ૯પ હોય છે અને બીજાં (ત્રણ નામ, ગોત્ર અને વેદનીય) કર્મોની સ્થિતિ અધિક હોય છે, ત્યારે આયુની બરોબર બધાં કર્મોની સ્થિતિ કરવા મૂળ શરીરને છેડડ્યા વિના જેટલે વખત આયુષ્યને તેટલો વખત જીવ ઉપાધિને રાખે તે મનુષ્યત્વનું સફળ થવું કયારે સંભવે . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy