SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ આત્માના પ્રદેશોનું બહાર નીકળી લોકવ્યાપી થઈ જવું અને શેષ રહેલાં કર્મોને એક સાથે પ્રબળપણે ખેંચીને સંપૂર્ણપણે ભોગવી લેવાં, તેને સમુદ્રઘાત કહે છે અને તે પ્રદેશત્વ ગુણની પર્યાય (અવસ્થા) છે. આ સમુદ્રઘાત આઠ સમય સુધી રહે છે. કેવળી સમુદ્રઘાત કર્યા પછી પાંચ લઘુ સ્વર, અ, ઈ, ઉ, , ને ભને ઉચ્ચાર કરીએ તેટલે સમય ચૌદમાં ગુણસ્થાને રહે અને એટલા સમયમાં આત્માના મન, વચન અને કાયાના ભેગને સંપૂર્ણ નિરોધ હોય છે. ૧૪૧૭ પ્ર. જૈન દર્શનમાં મુખ્ય કઈ અપેક્ષાએ આત્માનું વર્ણન કહ્યું છે ? ઉ. બે અપેક્ષાએ. નિશ્ચયનય અથવા દિગંબરમત; અને બીજે વ્યવહારનય અથવા હવેતાંબર મત. (જુઓ પ્રશ્ન ૧૬૩૯ અને ૧૬૪૦). ૧૪૧૮ પ્ર. સંસારમાં જીવ અને પુદ્ગલ શું કામ કરે છે ? ઉ. સંસારમાં જીવ અને પુદ્ગલ પોતપોતાની શક્તિથી ચાર કામ કરે છેઃ (૧) ચાલવું, (૨) સ્થિર રહેવું, (૩) અવકાશ પામવો અને (૪) બદલાવું. દરેક કાર્ય ઉપાદાન અને નિમિત્ત એ બે કારણથી થાય છે. જેમ સોનાની વીંટીનું ઉપાદાને કારણે સોનું છે પણ નિમિત્તકારણ સેની. તેવી રીતે ચાર કામોનું ઉત્પાદન કારણ જીવ અને પુદ્ગલ છે. નિમિત્ત કારણુ બીજા ચાર દ્રવ્યો છે. ૧૪૧૯ પ્ર. શ્રી ઠાણાંગસૂત્રમાં વિવિધ આત્માઓનો ભેદ પાડી ચભંગ રચી છે, તેને વિશેષ અર્થ કહો. ઉ. ૧. એક, આત્માને ભવાંત કરે, પણ પરને ન કરે. તે પ્રત્યેક બુદ્ધ કે અશોચ્યા કેવળો (સિદ્ધ ભગવાને). કેમકે તેઓ ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા નથી. ૨. એક, આત્માને ભવાત ન કરી શકે, અને પરને ભવાંત કરે તે અચરમશરીરી આચાર્ય, એટલે જેને અમુક ભવ બાકી છે, પણ તેનાથી ઉપદેશ સાંભળી, સાંભળનાર છવ તે ભવે ભવન અંત પણ કરી શકે. છેવટે જેવી મતિ તેવી ગતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy