SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પ ૧૮૧ પ્ર. ચક્રવર્તી મરીને કઈ ગતિમાં જાય ? ઉ. જે ચક્રવર્તી સંયમ ગ્રહણ કરે તે મેશે અથવા દેવલેકે જાય નહિતર નરકે જાય. આયુષ્યને બંધ પડ્યા પહેલાં દીક્ષિત થાય તે મોક્ષે જાય અને આયુષ્યને બંધ પડયા પછી દીક્ષિત થાય તે સ્વર્ગ જાય. અને જો એ પ્રમાણે દીક્ષિત ન થાય તે, નરકમાં જાય. છ ખંડ એના એ છે, પણ તેઓ છ ખંડના કારણે નરકે ગયા નથી, પણ મમત્વના કારણે ગયા છે. ચક્રવતીંઓ પંચેન્દ્રિય પ્રાણીઓને વધ કેટલે બધે કરે ? એમને પરિગ્રહ કેટલે મોટે ? એમના છ ખંડના રાજ્યમાં મહાઆરંભનાં કાર્યો કેટલાં બધાં ? આ બધું હોવા છતાં તેઓ જ્ઞાનને પ્રમાણુ બનાવીને ત્યાગી બને તે નરકે ન જ જાય. મહાપરિગ્રહ હોવા છતાં અંદરમાં મૂછભાવવાળે રસ, આસકિત, ધણીપણું નહિ હોવાથી નરકે જતા બચી શક્યા છે. ૧૮૨ પ્ર. વાસુદેવ મરીને કઈ ગતિમાં જાય ? ઉ. નરકે જાય. તેને તીર્થકરને વેગ થવા છતાં નરકે જાય, અને ત્યાં પસ્તાય અને તેથી જતિસ્મરણ જ્ઞાન થાય. ૧૮૩ પ્ર. બળદેવ મરીને ક્યાં જાય ? ઉ. વાસુદેવના મરણથી વૈરાગ્ય પામી બળદેવ અવશ્ય દીક્ષા લઈ મોક્ષે અથવા દેવલેકે જાય છે. ૧૮૪ પ્ર. પ્રતિવાસુદેવ કેને હાથે હણાય ? ઉ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે અવશ્ય યુદ્ધ થાય, અને પ્રતિ - વાસુદેવને હણી વાસુદેવ તેણે જીતેલા ત્રણે ખંડ જીતી લે. ૧૮૫ પ્ર. પ્રતિવાસુદેવ મરીને કઈ ગતિમાં જાય છે ? ઉ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ સમ્યફત્યાગી બની શકે જ નહિ. મરીને તેઓ નરકે જ જાય, કારણ કે નિયાણાનું એવું બંધન લઈને આવ્યા હોય છે. પૂર્વે સમક્તિ હતું, પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનું ફળ માંગી લીધું. પ્રાપ્ત થયેલ વસ્તુને સંસાર લક્ષે ખોઈ નાખે આ ભૂમિકા ઉપાધિની શેભાનું સંગ્રહસ્થાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy