SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અને સંસાર ભેગવવા માટે એવું બળ માગે કે તેથી પૂર્વ પુણ્યના યોગે તેવી સામગ્રી મળી જાય. પણ તે સામગ્રી અને તેને ભેગવવાનું બળ, અર્થાત વિય, એ સામગ્રીમાં એવું એકાકાર થઈ જાય કે મરીને જીવને નરકે જ લઈ જાય. પરિગ્રહની મૂઈ એ પાપનું મૂળ છે. ૧૮૬ પ્ર. અરિહંત ભગવાનનું વર્ણન શાસ્ત્રમાં કેવી રીતે કરવામાં આવે છે ઉ. અરિહંત ભગવાન ૧૨ ગુણ, ૩૪ અતિશય, ૮ પ્રતિકાર્ય અને ૩૫ વાણીના ગુણે કરીને સહિત અને ૧૮ દેષરહિત હોય છે. અરિહંત પુરુષની દારિક કાયા વ્યાધિ, વૃદ્ધાવસ્થા અને દુઃખ વિનાની હોય; આહાર અને નિહાર તેમને હોતા નથી; મળમૂત્રથી રહિત હોય છે. કલેષ્મ, ઘૂંક, પ્રસ્વેદ વગેરેની દુર્ગધને દોષ તેમને હેતે નથી. એક હજાર અને આઠ ઉત્તમ લક્ષણથી સંપન્ન હોય છે. અરિહંત ભગવાનને સમગ્ર દેહ અતિશય સુગંધી અને નિર્મળ હોય છે. કેવળજ્ઞાન થયા બાદ ભગવાન જમીનથી ઉપર (પાંચ હજાર ધનુષ ઉપર) વિચરણ કરે છે, જમીન ઉપર નહીં. ૧૮૭ પ્ર. અરિહંત ભગવાનના અમુક અમુક મુખ્ય અતિશયો કેવા હોય છે તે કહો ? ઉ. દશ અતિશય જન્મથી પ્રકટ હોય છે, જેવા કે, મળમૂત્રને અભાવ, પરસેવાને અભાવ, રુધિર વેત હોય, અદ્દભૂત અનુપમ મહારૂપ, સુગંધી શરીર, અનંત બળ, પ્રિય, મધુર વચન વગેરે. ઈન્દ્ર અંગૂઠામાં અમૃત સ્થાપ્યું તેથી અંગૂઠા ધાવીને ઊછેરે છે. માતાના સ્તનનું દૂધ ધાવતા નથી. (તીર્થકરની માતાને ગર્ભાવસ્થાથી જન્મકાળ સુધી કોઈ પીડા થતી નથી. છ મહિના પહેલાંથી સફાઈ થાય છે પછી ભગવાન પેટમાં પધારે છે. તીર્થકરને આત્મા જન્મે ત્યારે ઈંદ્ર અને ઈંદ્રાણી હજાર નેત્રે કરીને તેમને નિહાળે તે પણ ધરાય નહીં અને ભક્તિથી તાંડવ નૃત્ય કરે. ઈંદ્ર ક્ષાયિક સમકિતી છે, વળી ઈંદ્ર અને ઈંદ્રાણી બનને એકાવતારી છે તે પણ તીર્થકર ભગવાન પ્રતિ એ ભક્તિભાવ ઉછળે છે. સમકિતને પણ એ વ્યવહાર હોય છે. આત્મા ને સબ્રુસ એક જ સમજવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy