SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ હાજરી વગર) પ્રાપ્ત થતું નથી તેમ છતાં કેવળી-શ્રુતકેવળીની સમીપમાં ઘણા જીવા હેાય છે તે તે બધાને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જતું નથી. વળી તીર્થંકર આદિ બીજા જીવા વળી શ્રુતકેવળીની હાજરી વગર પણુ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. કારણ કે તેમનુ ઉપાદાન જ તે પ્રકારનું છે. ભરત ક્ષેત્રમાં જ્યારે કેવળજ્ઞાન-શ્રુતકેવળ જ્ઞાનના વિચ્છેદ ગયે, ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વના પણ વિચ્છેદ ગયા. ૧૨૭૬ પ્ર. ઉપશમાદિ સમકિતની વ્યાખ્યા આપે. . આત્માની નિરતર પ્રતીતિ વર્ત્યા કરે તેને ક્ષાયિક સમ્યક્ત્વ કહીએ છીએ. કવચિત્ મંદ, કચિત્ તીવ્ર, કવચિત્ વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને ક્ષયાપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણુ ઉય આવ્યાં નથી, ત્યાં સુધી ઉપશમ સમ્યક્ત્વ કહીએ છીએ. આત્માને આવરણુ ઉય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય તેને સાસ્વાદન સમ્યક્ત્વ કહીએ છીએ. ૧૨૭૭ પ્રે. કેટલા પ્રકારનાં સમ્યક્ત્વ છે ? ઉ. છ; ઉપશમ, ક્ષયાપશમ, ક્ષાયિક, મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર. ૧૨૭૮ પ્ર. શ્રદ્ધા શેમાં રાખવી ? ઉ. વ્યવહારનયથી વીતરાગનાં વચને અને સૂત્રા જે કહે છે તેમાં શ્રદ્ધા રાખવી તે સમ્યક્ત્વ છે અને તેમાં જેટલા અવિશ્વાસ, અભરેાસા તેટલી શ્રદ્ધા એછી અને એ જ મિથ્યાત્વ છે. સમ્યક્ત્વ, તેવી ક્રિયા ને તેવે ત્યાગ ૧૨૭૯ પ્ર. શાસ્ત્રમાં કહ્યું છે તેવુ અત્યારે છે? ઉ. શાસ્ત્રમાં જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભાવના ભેદ સાથે સમ્યક્ત્વ અને ચારિત્રની વાત કરી છે. શાસ્ત્ર સમજે ને વિયારે તા બધું છે તે હે આત્મન્! તારે માટે આ વિશ્વમાં ખીજુ કશુ જ કરવાનું નથી. તારા સર્વ પુરુષાર્થ વડે કેવળ આશ્રવને આવતા રોકી દે, પછી જો, તને માક્ષ મળે છે કે નહીં ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy