SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ પુદ્ગલ કર્મના બંધમાં જૂનાં પુદ્ગલ કર્મ નિમિત્ત થાય છે, જીવને સ્વભાવ નથી. જીવનાં આ પરિણામ જીવને કારણે જીવમાં જ થાય છે કર્મના કારણે નહીં. આ સંજ્ઞ (ચેતન) આત્રવ જ્યારે સ્વયં પ્રગટ થાય છે, તે વખતે જે પૂર્વકર્મને ઉદય હોય છે તેથી તે નિમિત્ત કહેવાય છે. આ નિમિત્તતાને કારણે તે પૂર્વમાં બાંધેલા મિથ્યાત્વ આદિ પુદ્ગલ પરિણામ આસવ કહેવાય છે. નિશ્ચયથી તે વિકારને કર્તા જીવ છે, તેમાં પર-કારકેની અપેક્ષા નથી. અહીં મુખ્યત્વે ત્રણ વાત કહી છેઃ (૧) જીવ રાગદ્વેષ-મેહનાં પરિણામ સ્વયં પિતાના કારણે ઉત્પન્ન કરે છે, તે કોઈ કર્મને કારણે થતાં નથી. (૨) તે કાળમાં મિથ્યાત્વે આદિ અજીવ પુદ્ગલ કર્મ જે ઉદ્યરૂપે પરિણમે છે, તે પણ તેની પોતાની યોગ્યતાથી પરિણમે છે, અન્ય કોઈ કારણથી નહીં. (૩) તથા તે મિયાત્વ આદિ અજવ પુગલ નવીન કર્મોના આવવામાં નિમિત્ત થાય છે તેથી નિમિત્તની અપેક્ષાથી તે જડકર્મને પણ વ્યવહારથી આસવ કહેવામાં આવે છે. ૧૪૭૮ પ્ર. રાગ કેવી રીતે દૂર થઈ શકે તેનો શાસ્ત્રોમાં ક્યાંય કોઈ ઉલ્લેખ નથી, તે શું કરવું ? ઉ, જે જીવ સ્વભાવને સ્પર્શ કરે તે રોગ ઉત્પન્ન જ ન થાય, અને તેને રાગ દૂર કર્યો કહેવામાં આવે છે. “આ રાગ છે અને તેને ટાળું’ એ પ્રમાણે રાગના લક્ષથી રાગ કદી પણ દૂર થતા નથી, તેમ કરવાથી તે ઉલટાના રાગની ઉત્પત્તિ જ થાય છે. પોતાના શુદ્ધ ચેતન્ય શક્તિવાન આત્માના લક્ષથી અથવા આશ્રયથી રાગ ટળે. છે કારણ કે ખરેખર વાસ્તવમાં ત્યારે રાગ ઉત્પન્ન જ થત નથી. કર્મથી, રાગના અથવા પર્યાયના લક્ષથી રાગ દૂર થાય, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. દેવ, શાસ્ત્ર, મુનિવર તણે દ્વેષ કરે જો કેય નિયમે પાપ ઉપાર્જતાં, ભવમાં ભમતા તે સૌકાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy