SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ પરિણામી થાય. સમ્યફદર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે. સમ્યફદર્શન થવાને મુખ્ય હેતુ જિનવચનથી તત્વાર્થ પ્રતીતિ થવી તે છે. -૮૪૧ પ્ર. “વિભાવ” એટલે “વિરુદ્ધભાવ” ને ? ઉ. “વિભાવ” એટલે “વિરુદ્ધભાવ” નહીં, પરંતુ “વિશેષભાવ.” આત્મા આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે, અથવા “સ્વભાવ” છે. જ્યારે આત્મા તથા જડને સંગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ “વિશેષભાવે” પરિણમે તે “વિભાવ” છે. આ જ રીતે જડને માટે પણ સમજવું. ૮૪ર પ્ર. નિર્વિકલ્પ દશા એટલે શુન્ય દશાને? સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને વિશેષપણે જાણવાં તે વિકલ્પ છે ને ? ઉ. સ્વદ્રવ્ય કે પરદ્રવ્યને વિશેષપણે જાણવાં તેનું નામ વિકલ્પ નથી. રાગદ્વેષ સહિત કોઈ પણ રૂમને જાણવામાં ઉપયોગ પ્રેરવો, વારંવાર ઉપયોગને અસ્થિર કરવો તેને વિક૯પ કહે છે. વીતરાગપણે જે જાણે તો યથાર્થ જાણે છે. અન્ય સેય પદાર્થોને જાણવા ઉપયોગ પલટાવ્યા ન કરે ત્યાં નિર્વિકલ્પ દશા જાણવી. જેટલે કાળ એક પદાર્થમાં વીતરાગપણે જાણવામાં જાય તેટલે કાળ નિર્વિકલ્પ દશા કહી છે. વિચાર માત્ર (પર્યાય) રોકાય તે જડપણું પ્રાપ્ત થાય. પણ રાગદ્વેષ વશ ઉપયોગ પલટાવે તે વિકલ્પ છે. વીતરાગપણે ઉપયોગ એક પદાર્થમાં રોકાય તે નિર્વિકટપતા છે. ૮૪૩ પ્ર. દંડ, શલ્ય, ગર્વ અને સંજ્ઞા એટલે શું અને તે કેટલા પ્રકારના છે? ઉ. દડા ત્રણ છે. મનદંડ, વચનદંડ, કાયાદંડ. મન, વાણી અને કાયાની અસત્ પ્રવૃત્તિ તે દંડ (તેનાથી આત્મા દંડાતા હોવાથી). શલ્ય પણ ત્રણ છે. માયાશલ્ય, નિદાનશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. એટલે દંભ, ભોગની લાલસા અને સત્ય ઉપર શ્રદ્ધાને અભાવ, અથવા અસત્યને આગ્રહ. સરલતારહિત થઈ કપટ કરવું તે માયાશલ્ય છે. પુણ્યના ફળની વાંછા, ઈચ્છા રાખવી તે નિદાનશલ્ય પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy