SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૪ છે આ વ્યવહારકથન થયું. તેઓ પરને વ્યવહારથી જાણે છે, એને અર્થ એ કદાપિ નથી કે તેઓ પરને જાણતા જ નથી. બીજુ કેવળી ભગવાન પોતાને તન્મય થઈને જાણે છે, પરંતુ પરને જાણે તે છે, પણ તેમનામાં તેઓ તન્મય નથી થતા. આ કારણે પણ તેમનું પરનું જાણપણું વ્યવહાર કહેવાય છે. ૧૭૧૬ પ્ર. આખા લોકની વ્યવસ્થા આમ સ્વયંસંચાલિત કેવી રીતે બની રહે છે ? ઉ. જેમ જેટલા કાકાશના પ્રદેશ છે, તેટલા જ એક જીવના પણ પ્રદેશ છે; તેવી જ રીતે ત્રણ કાળને જેટલા સમય છે, તેટલી જ પ્રત્યેક દ્રવ્યની પર્યા છે. એક-એક સમયની એક-એક પર્યાય. નિશ્ચિત છે. જેમ કાકાશને એક–એક પ્રદેશ ઉપર એક-એક કાળાણુ અંકિત છે, તેવી જ રીતે ત્રણે કાળના એક-એક સમયમાં પ્રત્યેક દ્રવ્યની એક-એક પર્યાય અંકિત છે. ગુણેની અપેક્ષાએ વિચાર કરીએ તો ત્રણે કાળના એક-એક સમયમાં પ્રત્યેક ગુણની એક–એક પર્યાય અંકિત છે-નિશ્ચિત છે, તે પછી તેમાં અદલાબદલીનું કયું કામ બાકી રહી જાય છે કે પ્રત્યેક પરિણામ પિતપિતાના અવસરે જ પ્રગટ થાય છે. જેમ ચિત્રપટના રીલમાં જ્યાં જે ચિત્ર સ્થિત છે તે ત્યાં જ રહે છે. તેનું સ્થાનપરિવર્તન સંભવિત નથી, તેવી જ રીતે, ચાલતી રીલમાં કયું ચિત્ર ક્યા ક્રમમાં આવશે એ પણ નિશ્ચિત છે, તેમાં ફેરફાર સંભવિત નથી. આગળ ચિત્ર કવું આવશે તેનું જ્ઞાન ભલે આપણને ન હોય, પણ આવશે તો તે પોતાના નિયમિત ક્રમમાં જ. ૧૭૧૭ પ્ર. જેનું જે પરિણામ જે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અનુસાર થવું જિનેન્દ્ર જોયું છે તે જ પ્રમાણે થાય અને તેને આપણે ટાળી ન શક્તા. હોઈએ તો પછી આપણે તે ભગવાનના જ્ઞાનને આધીન થઈ ગયા. જેવું તેમણે જાણી લીધું તેવું જ આપણે કરવું પડશે ? ડાહ્યો દુશમન ઠીક પણુ, મૂરખ મિત્ર નહિ ઠીક, દાને નિધન ઠીક પણું, કંજૂસ ધની અઠીક, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy