SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૩ કે-જે પ્રદેશ જ્યાં જ્યાં છે, તે ત્યાં ત્યાં જ રહે છે, તેમાં આગળ -પાછળ થવું સંભવિત નથી. આ વાતકાર્તિકેયાનુપ્રેક્ષાની ગાથા ૩૨૧થી ૩૨૩ સુધીમાં આવે છે. ચારેય અનુગનાં શાસ્ત્રોમાં કઈ ને કઈ રૂપે આ વાત આવે જ છે. વળી સર્વજ્ઞતાની વાત તે બધાં શાસ્ત્રોમાં છે. જે સીધી સમજવામાં ન આવતી હોય તે સર્વજ્ઞતાના આધારે ક્રમબદ્ધ પર્યાય સમજવી જોઈએ, (જુઓ પ્રશ્ન-૧૭૬૦ અને ૧૭૬૧) કેવળજ્ઞાનીએ જેવું જોયું હશે તેવું જ થશે' ને એ જ અર્થ થાય છે કે ભવિષ્યમાં જે સમયે જે પર્યાય થવાની છે, તે જ થશે. ૧૭૧૪ પ્ર. ઉપર કહેલ આત્મખ્યાતિ ટીકામાં ક્રમનિયમિત’ શબ્દને અર્થ શું છે ? ઉ, “ક્રમનિયમિત” શબ્દમાં ક્રમ અર્થાત ક્રમસર (નંબરવાર) તથા નિયમિત અર્થાત નિશ્ચિત. જે સમયે જે પર્યાય આવવાની છે તે જ આવશે, તેમાં ફેરફાર થઈ શકતા નથી. ૧૭૧૫ પ્ર. કેવળી ભગવાન નિશ્ચયથી તે કેવળ પિતાના આત્માને જાણે છે, પરને તે તેઓ વ્યવહારથી જાણે છે, એમ નિયમસારની ૧૫૦મી ગાથામાં કહ્યું છે અને સમયસરની ૧૧ મી ગાથામાં કહ્યું છે કે વ્યવહાર જૂઠે, અસત્યાર્થ છે. આ રીતે જ્યારે કેવળી ભગવાન પરને જાણતા જ નથી, તે પછી સમસ્ત દ્રવ્યની ભવિષ્યની પર્યાયને જાણવાની વાત જ ક્યાં રહી જાય છે ? ઉ. વ્યવહાર છે જ નહિ–એવો તેનો અર્થ નથી સમયસારની ૧૨ મી ગાથામાં કહ્યું છે કે વ્યવહાર જાણવાલાયક છે (આશ્રય કરવા લાયક નથી), સર્વથા જૂઠે નથી. વ્યવહારને ગૌણ કરીને અસત્ય કહ્યો છે, અભાવ કરીને અસત્ય નથી કહ્યું. જેમાં “સ્વ”ની જ અપેક્ષા હોય છે તે નિશ્ચયકથન છે અને જેમાં “પરની અપેક્ષા આવે, તે વ્યવહારકથન છે. તેથી કેવળી ભગવાન પિતાના આત્માને દેખે જાણે છે આ નિશ્ચયકથન થયું અને તેઓ પરને દેખું-જાણે ભાષણ ભાખે ભલભલાં, તકે કરે નવ તેમ, પાથી કેરાં રીંગણાં, ગણે વિપ્રજી જેમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy