SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ નહિ. એકાંતે વ્યવહારચારિત્રથી પુણ્ય થાય તે ભલે અને તેથી બંધ થાય છે, ધર્મ નથી. ૬૪૪ પ્ર. આયુકર્મના મુખ્ય કેટલા ભેદ છે? ઉ. ચાર, નારકીનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય, મનુષ્યનું આયુષ્ય. અને દેવતાનું આયુષ્ય. ૬૪૫ પ્ર. નામ કર્મના કેટલા ભેદ છે? ઉ. બે, શુભ નામ અને અશુભ નામ. નામ કર્મની ૯૩ પ્રકૃતિઓમાંથી યશ કીર્તિ, સુભગ, તીર્થકરપણું વગેરે ૩૭ પુણ્યપ્રકૃતિઓ જાણવી બાકીની પાપપ્રકૃતિ છે. (જુઓ પ્રશ્ન. ૬૧૪) ૬૪૬ પ્ર. નામ કર્મ કોને કહેવાય ? ઉ. જેના ઉદયથી જીવ અરૂપી હોવા છતાં જુદી જુદી ગતિઓ વિષે જુદાં જુદાં રૂપ ધારણ કરે તે નામ કર્મ. ૬૪૭ પ્ર. શુભનામ કર્મના ઉદયથા શું થાય ? ઉ. તેના ઉદયથી જીવ ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, રૂ૫, લાવણ્ય, તથા યશકીતિ વગેરે સારાં પામે. ૬૪૮ પ્ર, ગોત્રકર્મના મુખ્ય કેટલા ભેદ ? ઉ. બે, ઊંચગોત્ર અને નીચ ગોત્ર. ૬૪૯ પ્ર. ગોત્ર એટલે શું ? ઉ. કુળ અથવા વંશ. ૬૫. પ્ર. ઊંચગેત્ર કેને કહેવાય ? ઉ. જાતિ, કુળ, બળ, રૂપ તથા ઐશ્વર્ય વગેરે ઊંચા પ્રકારનાં વખાણવા યોગ્ય જ્યાં હોય તે ઊંચ ગોત્ર. ૬૫૧ પ્ર. અંતરાય કર્મના કેટલા ભેદ છે? ઉ. પાંચ, દાનાંતરાય, લક્ષાંતરાય, ભેગાંતરાય, ઉપભેગાંતરાય અને વીર્યા તરાય. ઉપર પ્ર. દાનાંતરાય કર્મ કેને કહેવાય. અપૂર્વ પિતાથી પોતાને પ્રાપ્ત થવું દુર્લભ છે; જેનાથી પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ ઓળખવુ દુર્લભ છે, અને જીવને ભુલવણી પણ એ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy