SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ ૧૫૭૫ પ્ર. શાસ્ત્રાભ્યાસની મહિમા કહે ? ઉ. શાસ્ત્રાભ્યાસથી પરંપરા આત્માનુભવદશા પ્રાપ્ત થાય છે. આ તે દૂરની વાત, પણ તાત્કાલિક આટલા ગુણે પ્રગટે છે, કેધાદિ કષાયોની મંદતા થાય છે, પંચેન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ અટકે છે, અતિ ચંચલ મન પણ એકાગ્ર થાય છે. હિંસાદિ પાંચ પાપ થતાં નથી, હેય ઉપાદેયની ઓળખાણ થાય છે, આત્મજ્ઞાન સન્મુખ થાય છે, અધિક–અધિકજ્ઞાન થવાથી આનંદ ઉત્પન્ન થાય છે, તેથી શાસ્ત્રાભ્યાસ અવશ્ય કરવો. શાસ્ત્રાભ્યાસ કરવાના સમયની પ્રાપ્તિ મહાદુર્લભ છે. શાસ્ત્રાભ્યાસ કરે, અન્ય જીવોને કરાવે, જે છ શાસ્ત્રાભ્યાસ કરે છે તેમની અનુમોદના કરો. પુસ્તક લખાવવું તથા શીખવા તથા શીખડાવવાવાળાની સ્થિરતા કરવી, ઇત્યાદિ શાસ્ત્રાભ્યાસના બાહ્ય કારણોને સાધના કરવાં, કારણ કે તેમની મારફત પણ પરંપરા કાર્યસિદ્ધિ થાય છે અને મહત્ત પુણ્ય ઉત્પન્ન થાય છે. ૧૫૭૬ પ્ર. શાસ્ત્રને અભ્યાસ કરીને શું કરવું જોઈએ ? ઉ. આત્મામાં તેવા ભાવરૂપ પરિણમન કરવું જોઈએ. ૧૫૭૭ પ્ર. સમ્યજ્ઞાનને કેટલાં અંગ છે અને તે કયાં કયાં છે ? ઉ. સમ્યજ્ઞાનના આઠ અંગ છે તે નીચે મુજબ છે : (૧) ગ્રંથશુદ્ધિ : શાસ્ત્રનાં વાક્યોને શુદ્ધ ભણવાં. (૨) અર્થશુદ્ધિ : શાસ્ત્રના અર્થ બરાબર સમજવા. (૩) ઉભય શુદ્ધિ : ગ્રંથને શુદ્ધ ભણવા અને શુદ્ધ અર્થ સમજવા. (૪) કાલાધ્યયન : શાસ્ત્રોને એવા વખતે ભણવાં જોઈએ કે જ્યારે પરિણામમાં નિરાકુળતા હોય. (૫) વિનય ઘણાં આદરપૂર્વક શાસ્ત્ર ભણવાં જોઈએ. (૬) ઉપધાન : યાદ રાખતાં જતાં ગ્રંથને ભણવા જોઈએ. (૭) બહુમાન : શાસ્ત્રને બહુમાન કે પ્રતિષ્ઠાપૂર્વક વિરાજમાન કરીને ભણવું જોઈએ. પરિણામને હટાવી શકાય નહીં, પરિણામમાંથી એકત્વ હઠાવી શકાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy