SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ (૮) અનિદ્ભવ : આપણને શાસ્ત્રજ્ઞાન હોય તે કેાઈ સમજવા ચાહે તે સમજાવવું જોઈએ. જે ગુરુથી જ્ઞાન મળ્યું હોય તેમનું નામ છુપાવવું ન જોઈએ. ૧૫૭૮ પ્ર. કયા દોષ સમ્યજ્ઞાન પ્રગટ કરવામાં રુકાવટ કરે છે ? ઉ. સમ્યજ્ઞાન ન થવા દેવામાં ત્રણ દોષે છે : ૧. સંશય ઃ આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે, એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન, તે સંશય કહે છે. ૨. વિપર્યય : વસ્તુસ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક “આ આમ જ છે” એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. ૩, અધ્યવસાય : “કાંઈક છે” એ નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે. ૧૫૭૯ પ્ર. સમ્યકત્વ કેવળજ્ઞાનને શું કહે છે ? ઉ. હું જીવને મોક્ષે પહોંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તું પણ તે જ કાર્ય કરે છે; તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી, તો પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની ? એટલું જ નહિ પરંતુ તને-પામવામાં મારી જરૂર રહે છે. ૧૫૮૦ પ્ર. સમક્તિ ક્યાં સુધી ન થાય ? ઉ. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહિ ત્યાં સુધી સમ્યક્ત્વ થાય નહિ. (૧) અવિનય. (૨) અહંકાર. (૩) અર્ધદગ્ધપણું. પોતાને જ્ઞાન નહિ છતાં પોતાને જ્ઞાની માની બેસવાપણું અને (૪) રસલુબ્ધપણું. એ ચારમાંથી એક પણ દેષ હોય તે જીવને સમક્તિ ન થાય. આમ શ્રી ઠાણાંગસૂત્રમાં કહ્યું છે. અનંતાનુબંધી ચાર કષાય અને મિથ્યાત્વમેહિની, મિશ્રમાહિની અને સમ્યક્ત્વહિની એમ સાત પ્રકૃતિએ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યદૃષ્ટિ થવું સંભવતું નથી. ઇન્દ્રિયના ઉપશમને જ ઉપવાસ કહેવામાં આવે છે, એટલા માટે જ, જિતેન્દ્રિય સાધુ ખાવા છતાં ઉપવાસી જ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy