SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ૧૦૮૧ પ્ર. મુનિ આહાર સાત ગુણધારી શ્રાવકના હાથે જ સ્વીકારે તેમ કહ્યું છે તે તે ક્યા સાત ગુણ કહ્યા છે ? ઉ. શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા-આ દાતાના સાત ગુણ સહિત શુદ્ધ યોગ્ય આચારવાળા ભક્તને હસ્તાગ્રથી એટલે કે હાથની આંગળીઓથી ભક્તિપૂર્વક આપવામાં આવે આહાર મુનિ ગ્રહણ કરે છે ૧૦૮૨ પ્ર. શાસ્ત્રમાં સત્ય કોને કહે છે ? ઉ. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું છે તેવું જાણવું, અનુભવવું, તેવું જ કહેવું. તે સત્ય બે પ્રકારે છેઃ પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય. જેવું હોય તેવું કહેવું તે વ્યવહાર સત્ય અને આત્માને લક્ષ રાખીને બેલે તે પરમાર્થ સત્ય. ક્ષાયિક સમકિત હોય તે જ પરમાર્થ સત્ય બેલાય. ૧૦૮૩ પ્ર. વ્યવહાર સત્ય કોને જાણવું ? ઉ. જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી, આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે વસ્તુનું સ્વરૂપ કહેવું અને તે પ્રસંગે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય. ચાર પ્રકારનાં અસત્ય શાસ્ત્રમાં કહ્યાં છે. વસ્તુ છે છતાં તેની ના કહેવી, જે નથી તે છે એમ કહેવું, વિપરીત જ કહેવું અને નિંદાનાં વચને કહેવાં, હાસ્ય. તે જૂઠ છે. શાસ્ત્રમાં હોય તેથી વિરોધી વાક્ય બોલવું તે જૂઠું છે. ૧૦૮૪ પ્ર. પરમાર્થ સત્ય કેને સમજવું ? ઉ. “પરમાર્થ સત્ય”, એટલે આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને થઈ શકતો નથી, એમ નિશ્ચય જાણી, ભાષા બોલવામાં વ્યવહારથી દેહ, સ્ત્રી, મિત્ર, ધન, ધાન્ય, ગૃહ આદિ વસ્તુઓના પ્રસંગમાં બેલતાં પહેલાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી, એ ઉપગ રહેવો જોઈએ. ૧૦૮૫ પ્ર. શાસ્ત્રમાં જૂઠું બોલવાનાં કયાં મુખ્ય કારણ કહ્યાં છે ? જહાં રામ તહાં કામ નહી, કામ તહાં નહી રમ દેઉ સાથ મિલન નહીં; દિન-રજની એક સાથ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy