SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૩ સુધીના ગુણસ્થાન અલ્પકાળવર્તી છે, એટલે ઉપદેશપ્રવૃત્તિ તેમાં ન સંભવે. સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઈષ્ટઅનિષ્ટબુદ્ધિરહિતપણું ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું.સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. શાતા–અશાતા, જીવન-મૃત્યુ, સુગંધદુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂપ–કુરૂપ, શીત-ઉsણ આદિમાં હર્ષ-શોક, રતિ-અરતિ, ઈદ-અનિષ્ટપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદર્શિતા. ૧૨પર પ્ર. એવા જ્ઞાની પુરુષને સંગ જીવને ક્યારે થાય ? ઉ. જ્ઞાની પુરૂષને તે તેવો સંગ જીવને અનંતકાળમાં ઘણીવાર થઈ ગયે છે, તથાપિ આ પુરુષ જ્ઞાની છે, માટે હવે તેને આશ્રય ગ્રહણ કરવો એ જ કર્તવ્ય છે, એમ જીવને આવ્યું નથી, અને તે જ કારણ છવને પરિભ્રમણનું થયું છે. ૧૨૫૩ પ્ર. શાસ્ત્રમાં ઠેર ઠેર સદ્ગુરુ અથવા જ્ઞાની પુરુષને આશ્રય ગ્રહણ કરવાનું કેમ કહ્યું છે ? ઉ. “તુલ્યા ભવતિ ભવતિ નનું તેનકિંવા; ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મસમ કરેાતિ.” આત્મ વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદેવ પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તે જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી, મર્મ તે સત પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. “પ્રત્યક્ષ સદ્ગુરુ વેગથી, સ્વછંદ તે રેકાય, અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણા થાય. “માનાદિક શત્રુ મહા, નિજદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.” ચિંતનની જેમ જેમ ઊંચાઈદેખાશે તેમ તેમ જડની ઊંચાઈ ઘટતી જશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy