SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ “બિન સરુ કેય ન ભેદ લહે; મુખ આગલ હૈ કહ બાત કહે,” “પલમેં પ્રગટે મુખ આગલ મેં, જબ સદ્ગુરુ અને સુપ્રેમ બસેં.” “તનસેં, મનસેં, ધનસું, સબસેં, ગુરુદેવકી આન સ્વ–આત્મ બસે; તબ કારજ સિદ્ધ બને અપને, રસ અમૃત પાહિ પ્રેમ ઘને.” ભિન્ન પરાત્મા સેવીને તત્સમ પરમ થવાય; ભિન્ન દીપને સેવીને બત્તી દીપક થાય.” ચામડી ઊતારી તેનાં જેડાં બનાવીએ તે પણ જેને પ્રતિઉપકાર ન થઈ શકે તેવો ઉપકાર ગુરુને હોય છે. તેને ઉપકાર જે કંઈ છૂપાવે છે તે અનંત સંસારી છે. ૧૨૫૪ . : જ્ઞાની પુરુષનું ઓળખાણ નહીં થવામાં જીવના ક્યા મુખ્ય દેષ છે? ઉ. જ્ઞાની પુરુષનું એાળખાણ નહીં થવામાં ઘણું કરીને જીવના ત્રણ મોટા દેષ છે. એક તે “હું જાણું છું”, “હું સમજું છું” એવા પ્રકારનું જે માન છવને રહ્યા કરે છે તે માન. બીજુ પરિગ્રહાદિકને વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ. ત્રીજું લેકભયને લીધે, અપકીર્તિભયને લીધે, અને અપમાન ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું. પિતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રનું તોલન કરવામાં આવે છે; થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન, મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવવાની જીવને ઈચ્છા રહ્યા કરે છે. આ કારણે જીવને જ્ઞાનીથી અજાણ્યા રાખે છે. આ દોષોનું ઉપાદાન કારણ એવો તે એક “સ્વચ્છંદ” નામને મહાદેષ છે, અને તેનું નિમિત્કારણ અસત્સંગ છે. ૧૨૫૫ પ્ર. જ્ઞાની છૂપા રહે નહિ અને સંસારમાં સર્વત્ર પૂજય તેમ નિયમ છે? લેપ, ચિત્ર, પ્રતિમાં વળી દેવાલયે ન દેવ; શિવ નિરંજન જ્ઞાન મય, સ્થિત સમ મને સદેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy