SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ ત્યારે શુભ પગલે તેમના આહાર રૂપે પરિણત થઈ જાય છે અને નારકીને અશુભ પુદ્ગલે પરિણત થાય છે. ૩૪૭ પ્ર, કઈ અવસ્થામાં આહાર ન હોય ? ઉ. (૧) ઉત્પત્તિ કાળમાં વિગ્રહ ગતિએ રહેલા છે આહાર કરતા નથી, તે આ રીતે. આહારને અર્થ એ છે કે સ્થૂલ શરીરને યોગ્ય પગલે. ગ્રહણ કરવાં. એ આહાર સંસારી જીવમાં અંતરાલગતિના સમયે હોય છે પણ ખરે, અને નથી પણ હોતે. ઋજુગતિથી અથવા બે સમયની એક વિગ્રહવાળી ગતિથી જનાર હોય છે, તે અનાહારક નથી હોતા; કારણ કે એને જુગતિને સમય ત્યાગ કરેલ પૂર્વભવને શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને સમય છે, અથવા તે નવીન જન્મસ્થાનમાં ગ્રહણ કરેલ આહારને સમય છે. એ જ સ્થિતિ એક વિગ્રહવાળી ગતિની છે કેમ કે એના બે સમમાંથી પહેલો સમય પૂર્વ શરીર દ્વારા ગ્રહણ કરેલા આહારને છે અને બીજે સમય નવા ઉત્પત્તિસ્થાનમાં પહોંચવાનું છે, જેમાં નવીન શરીર ધારણ કરવા માટે આહાર કરવામાં આવે છે. પરંતુ ત્રણ સમયની બે વિગ્રહવાળી અને ચાર સમયની ત્રણ વિગ્રહવાળી ગતિમાં અનાહારક સ્થિતિ મળી આવે છે; તે એટલા માટે કે એ બંને ગતિઓના ક્રમપૂર્વક ત્રણ અને ચાર સમયમાંથી પહેલ સમય ત્યક્ત શરીર દ્વારા કરેલા આહારને અને અંતિમ સમય ઉત્પતિસ્થાનમાં લીધેલા આહારને છે. પરંતુ એ પ્રથમ તથા અંતિમ બે સમયને છોડીને વચેલે કાળ આહારશન્ય હોય છે; એથી જ દિવિગ્રહગતિમાં એક સમય અને ત્રિવિગ્રહગતિમાં બે સમય સુધી જીવ અનાહારક માનવામાં આવે છે. (૨) કેવળી સમુદ્દઘાત થાય છે (જુઓ પ્રશ્ન–૧૪૧૬) ત્યારે ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં કેવળી ભગવંતે આહાર કરતા નથી. (૩) શૈલેશી અવસ્થામાં અગી કેવળી આહાર કરતા નથી. (૪) સિદ્ધ થયેલા ભગવંતે સદાને માટે અનાહારક થઈ જાય છે. આ ચાર અવસ્થા સિવાય જીવો બધે કાળ આહાર લેનારા જાણવા. સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy