SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ મૃત્યુ ૧૭૭ર પ્ર. શાસ્ત્રમાં કેટલા પ્રકારનાં મૃત્યુ કહ્યાં છે ? ઉ. પાંચ ઈન્દ્રિ, ત્રણ બળ (મબળ, વચનબળ, કાયાબળ શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ દશ પ્રાણના નાશને મરણ કહે છે. અષ્ટપાહુડ ગ્રંથના પાંચમા ભાવ પાહુડમાં ગાથા ૩રમાં ૧૭ પ્રકારનાં મૃત્યુનું કથન છે. શ્રી ભગવતી સૂત્ર શ. ૧૩ ઉ. ૭ના અધિકારમાં અવિચિક મરણના ૨૦, અવધિમરણના ૨૦, આત્યંતિક મરણના ૨૦, બાલમરણના ૧૨, પંડિત ભરણના ૨ ભેદ એમ કુલ મળી ૭૪ ભેદ કહ્યા છે. ૧૭૭૩ પ્ર. “અવિચિય મૃત્યુ” એટલે શું ? ઉ. ઉત્પન્ન થયા પછી પ્રતિસમય આયુષ્ય કમતી થતું જાય છે તે. અવિચિય મૃત્યુ.” ૧૭૭૪ પ્ર. “બાલમૃત્યુ” કોને કહેવાય ? ઉ. બાળમરણના બાર ભેદ છે. જેવા કે, તરફડિયાં ખાતાં મરવું, પરાધીન પૂર્વક રિબાઈને મરવું, ગીધ વગેરે શરીરને ફાડી ખાય એ રીતે મરવું, ફાંસો ખાઈને, ઝેરથી, શસ્ત્રથી, અગ્નિથી, પાણીથી, પહાડથી, ઝાડથી પડીને ઈત્યાદિ પ્રકારથી મરવું અથવા ઉપર પ્રમાણે આત્મઘાત. કરી મરે, તથા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના રહિત અજ્ઞાનતાથી મૃત્યુ પામે તે “બાલમૃત્યુ.” ૧૭૭૫ પ્ર. “પંડિતમૃત્યુ” ક્યારે કહેવાય ? ઉ. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યચ્ચારિત્ર સહિત સમાધિભાવથી આયુષ્ય પૂર્ણ થાય તે “પંડિત મૃત્યુ.' પંડિત ભરણના બે પ્રકાર આ પ્રમાણે છે. પાદપિગમન ઝાડની પેઠે સ્થિર રહીને આહારત્યાગપૂર્વક મરવું, અને ભક્ત પ્રત્યાખ્યાન – હાલવા ચાલવાની છૂટ સાથે ખાનપાનના ત્યાગપૂર્વક મરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy