SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાર્થ–વ્યવહારસ્વરૂપ છે. એ અનંત પરંપરસંબંધે મોક્ષને ઉપાય છે. ૧૩૧ પ્ર. વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ ઉપદેશ ક્યા પ્રકારે છે ? ઉ. શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ છે. તેનું ફળ આત્મ પ્રત્યયી નથી સંભવતું. ૧૩૨ પ્ર. સ્વાધ્યાયના કેટલા પ્રકારો જિનેન્દ્રોએ કહ્યા છે ? ઉ. શાસ્ત્રોને સ્વાધ્યાય કરે તે વ્યવહાર સમ્યજ્ઞાન છે. સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે : (૧) વાંચનાઃ ગ્રંથ ભણુ અથવા ભણાવે તે. (૨) પૃચ્છનાઃ સંશય દૂર કરવા અથવા બીજાઓને સમજાવવા પૂછવું. (૩) આમ્નાય : શુદ્ધ શબ્દ અને અર્થને ગોખીને મેઢે કરવું. (૪) ધર્મદેશના : ધર્મકથા આદિને ઉપદેશ કરવો. (૫) અનુપ્રેક્ષાઃ ભલે પ્રકારે જાણેલા પદાર્થને વારંવાર મનથી ' અભ્યાસ કરવા, ૧૩૩ પ્ર. અભ્યાસ અને અધ્યાસ એક જ છે ? ઉ. અભ્યાસ અને અધ્યાસ એક નથી. અભ્યાસ એટલે અધ્યયન; વારંવાર એનું એ કરવું તે. અધ્યાસ એટલે વિપરીતતા. અધ્યાસ એટલે આરોપ કરવો. અધિ + આસ એટલે પિતાની જગ્યા નહીં ત્યાં બેસવું. અધ્યાસ એટલે ભ્રાંતિ. દેહ છે તેને આત્મા માને એ અધ્યાસ છે. ૧૩૪ પ્ર. પુરુષાર્થના કેટલા પ્રકાર છે? ઉ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા ચાર પુરુષાર્થ પ્રાપ્ત કરવાને સપુરુષોને ઉપદેશ છે. એ ચાર પુરુષાર્થ નીચેના બે પ્રકારથી સમજાવવામાં આવ્યા છે: (૧) વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યું છે. (૨) જડ ચૈતન્ય સંબંધીને વિચારને અર્થ કહ્યો છે. સંસારનાં સુખો અનંતવાર આત્માએ ભેગવ્યાં છતાં તેમાંથી હજુ પણ મોહિની ટળી નહી અને તેને અમૃત જે ગમે એ અવિવેક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy