SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉ. છો, ૧. માયાકપટ કરે, ૨. જઠું બેલે, ૩. ખોટા તેલ ને માપ રાખે, આથી છેવો તિર્યંચ ગતિમાં જાય છે. ૭૭૩ પ્ર. મનુષ્ય ગતિમાં શું કરવાથી જાય છે ? ઉ. ૧. જેઓ પ્રકૃતિના ભદ્રિક હોય, ૨. વિનયી અને નમ્ર હોય, ૩. જેનામાં અનુકંપા અને દયા હોય, ૪. જેઓ અભિમાની અને ગર્વિષષ્ઠ ન હોય, તેઓ મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધે છે. ૭૭૪ પ્ર. દેવ ગતિમાં કયા છે જાય ? ઉ. જેઓ સંયમ પાળે છે પણ તેમને રાગ-મેહ છે, ૨. જેઓ ગૃહસ્થ પણ શ્રાવક વ્રત પાળે છે, ૩. જેઓ અજ્ઞાન પણ બાલતપશ્ચર્યા અગાધ કરણી કરે છે અને સહે છે, ૪. તેઓ નિર્જરને જાણતા નથી પણ પરવશપણે ભૂખ, તૃષા, શીત, તાપ વિગેરે સહન કરે છે. એટલે તેઓ સ્વર્ગમાં જાય છે. ૭૭૫ પ્ર. શુભ નામ કર્મ શું કરવાથી બંધાય અને અશુભ નામ કર્મ કેવી રીતે વર્તવાથી બંધાય છે ? ઉ. છે જે શરીરને પ્રવર્તાવવામાં જુતા (અવક્રતા) રાખે, વાણીમાં સરળ ભાવ રાખે, મનમાં પણ તેવી નમ્રતા રાખે અને કેાઈ સાથે વિવાદ-ઝઘડો ન કરે તે શુભ નામ કર્મ બાંધે છે અને શરીર, વાણી અને મનથી કુટિલતા સેવે, વક્રતા વિચારે તે દરેકની સાથે ખોટા ઝઘડા-કલેશ કરે તે અશુભ નામ કર્મ બાંધે છે. ૭૭૬ ક. છ ઊંચ નેત્ર કેમ બાંધી શકે ? અને નીચ ગેત્ર કેમ બાંધે છે ? ઉ. જે છ જાતિ. કૂળ, બળ, રૂ૫ અને એશ્વર્ય વિષે અહંકાર કરે છે એટલે જેઓ એવું માને છે કે, મારા જેવું રૂપ, કુળ કેઈનું ક્યાં છે? આ ગર્વે કરવાથી અવશ્ય નીચ ગોત્ર કર્મ બંધાય છે અને જેઓ એ પ્રમાણે ઉત્તમ મળવા છતાં વાણીમાં કે મનમાં જરા પણ ગર્વ લાવતા નથી અને નિસ્પૃહતા રાખે છે તેઓ ઊંચ ગોત્ર બાંધે છે. ૭૭૭ પ્ર. અંતરાય કર્મ કેમ કરવાથી બંધાય છે ? ઉ. જીવને પિતાને આત્મદાન-અભયદાન વગેરે જોઈએ છે તેમજ જીવને આત્મ પરિણામ છે તે જ નિશ્ચયથી કમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy