SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ લાભ, બેગ, ઉપભોગ જોઈએ છે, પરંતુ તે બાબતને પોતા તરફથી બીજા છ પ્રતિ વિરોધ થયો છે એટલે પોતે બીજા જીવને આપવા દીધું નથી. તેથી જીવ અંતરાય કર્મ બાંધે છે. ૭૭૮ પ્ર. જીવને સ્વભાવ જ્ઞાન, દર્શન, ચારિત્રને છે અને નિશ્ચયનયથી આત્મા કેવળ પિતાના શુદ્ધ ભાવને જ કર્તા છે તો પછી કર્મ કેમ થાય છે ? ઉ. આત્મા જ્યારે વિભાવમાં વર્ત અને વિકાર કરે અને પોતાના શુદ્ધ સ્વભાવની વિમુખ થઈ જાય ત્યારે તે અશુદ્ધ નિશ્ચયનયથી તેના વિભાને કર્તા કહેવાય છે. આત્માએ કર્મ બાંધ્યા નથી, કર્મ સ્વયં આવીને બંધાયાં છે. આત્માના અશુદ્ધ ભાવ કેવળ નિમિત્ત છે, તે પણ વ્યવહારનયથી આત્મા પગલકર્મોને કર્તા અથવા બાંધવાવાળે છે. એવી રીતે જ કુંભારને ઘડે બનાવનાર, સેનીને કડાને બનાવનાર, સ્ત્રીને રસોઈ બનાવનારી, દરજીને કપડાં સીવનાર કહેવાય છે. નિશ્ચયનયથી ઘડાને બનાવનારી માટી છે. કડાને બનાવનાર સોનું છે, રસોઈ બનાવનાર અન્નપાનાદિ સામગ્રી છે, કપડાં સીવનાર દેરો છે. કુંભરાદિ નિમિત્ત માત્ર છે. “ચેતન જે નિજભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્ત નહિ નિજભાનમાં, કર્તા કર્મ–પ્રભાવ.” “છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” ૭૭૯ પ્ર. પરદ્રવ્ય જીવને રાગદ્વેષ થાય છે ને ? ઉ. સ્વ પર જાણવું તે ઉપાધિ કે વિકારનું કારણ નથી. અજ્ઞાની કહે છે કે પરદ્રવ્ય જાણવાથી રાગાદિ થાય છે એટલે પરદ્રવ્ય જાણવું નહીં, તે સ્વપર પ્રકાશક જ્ઞાનની સ્વચ્છતાને નથી જાણતા. જ્ઞાની તે જેને જાણે છે તેને જ્ઞાતાભાવથી જ જાણે છે અને તે જ વિતરાગી જ્ઞાન છે. (જ્ઞાની પદ્રવ્ય સાથે તન્મય થતા નથી અથવા તેમને પરદ્રવ્ય સાથે એકત્વભાવ થતો નથી). ૭૮૦ પ્ર. શું ઈશ્વર પ્રેરણાથી કર્મો દરેક જીવને બંધાય છે ? ઉદયને અબંધ પરિણામે ભેગવાય તે જ ઉત્તમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy