SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. ઈશ્વર જેવી કોઈ અલગ શક્તિ કે વ્યક્તિ નથી. દરેક શુદ્ધાત્મા ઇશ્વર જ છે. શુદ્ધાત્મા પોતાના સ્વભાવમાં જ (જ્ઞાન, દર્શન વિગેરે). પરિણમન કરતો હોય છે. તેથી તે પોતે કર્મ બાંધે નહિ કે બીજાને. બંધાવે નહિ. ૭૮૧ પ્ર. જીવને કર્મ ક્યારથી હશે અથવા કર્મ જીવને ક્યારે વળગ્યા ઉ, જીવ પ્રથમ કર્મરહિત હતા અને પછી કર્મ વળગ્યા છે, એમ તો છે જ નહિ, ખાણમાંથી નીકળેલું તેનું જેમ માટીમાંથી જોડાયેલું છે, તેમ આત્મા છવ કર્મથી યુક્ત એટલે જોડાયેલ જ છે. શું કોઈ એમ કહી શકશે કે, સોનું પહેલું અને કર્મરૂપ માટી પછી વળગી છે ? અથવા માટી પહેલી હતી અને સાનું પછી તેને વળગ્યું છે ? સુવર્ણ અને માટી જેમ એકમેક છે તેમ જીવ અને કર્મ એકમેક છે. ૭૮૨ પ્ર. જીવ અને કર્મ એકમેક હોય તે શું તે છવ કર્મથી મુક્ત થઈ શકે ખરો કે નહિ ? ઉ. જીવ પોતે ધારે તે કર્મથી મુક્ત થઈ શકે છે. કષાયાદિ ક્ષીણ થઈ શકે છે તેમજ જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય ભકત્યાદિ સાધનના બળે કર્મબંધ શિથિલ થઈ ક્ષીણ થાય છે માટે જ્ઞાન, દર્શન સંયમાદિ મોક્ષપદના ઉપાય છે. “વી કાળ અનંત છે, કર્મ શુભાશુભ ભાવ, તેહ શુભાશુભ છેદતાં ઉપજે મોક્ષ સ્વભાવ” જે જે કારણું બંધનાં, તેહ બંધને પંથ; તે કારણ છેદક દશા, એક્ષપંથ વસંત. કાટિ વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિ, જ્ઞાન થતાં દૂર થાય.” ૭૮૩ પ્ર. સમયે સમયે જીવને અનંતકર્મને વ્યવસાયી કહ્યો છે અને અનાદિ કાળથી અનંતકર્મને બંધ કરતો આવ્યો છે, તો તેવાં અનંતકર્મ નાગર સુખ પામર નવ જાણે, વલભ સુખ ન કુમારી; અનુભવ પણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નારી રે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy