SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ ૩૩૦ પ્ર. એક જીવને એક સાથે કેટલાં શરીરના સયાગ હાઈ શકે છે ? ઉ. એક જીવને એક સાથે ઓછામાં ઓછા બે અને વધારેમાં વધારે ચાર શરીર હાય છે. ખુલાસા આ રીતે છે. વિગ્રહ ગતિમાં (એક દેહ ત્યાગી બીજો દેહ ધારણ કરતી વખતે જીવ જ્યારે વાટે વહેતા હોય ત્યારે) તૈજસ અને કાર્માણુ; મનુષ્ય અને તિ"ચને ઔદારિક, તેજસ અને કાર્માણુ; દેવ તથા નારકીઓને વૈયિક, તેજસ અને કાર્માણ તથા આહારક ઋદ્ધિધારી મુનિઓને ઔદારિક, આહારક, તૈજસ અને કાર્પણુ શરીર હાય છે. તેજસ અને કાણુ એ ને શરીર કારે પણ અલગ હોતાં નથી. ૩૩૧ પ્ર. તેજસ અને કાર્માણુ શરીર સંસારી જીવની સાથે હોવાથી ત શરીર ગમે ત્યાંથી પસાર થઇ શકે ? ઉ. તેજસ અને કાર્માણુ એ બન્ને શરીરા આખા લેાકમાં કાંય પણ પ્રતિષ્ઠાત પામતાં નથી; અર્થાત્ વજ્ર જેવી કઠિન વસ્તુ પણ એમને પ્રવેશ કરતાં રીકી શકતી નથી; કેમ કે તે અત્યંત સૂક્ષ્મ છે. ૩૩૨ પ્ર. તા પછી સૂક્ષ્મ હોવાથી વૈક્રિય અને આહારક પણ અપ્રતિઘાતી છે એમ કહેવુ જોઇએ ? ઉ. અવશ્ય. તે પણ પ્રતિઘાત વિના પ્રવેશ કરી શકે છે; પર ંતુ અહીં યાં અપ્રતિઘાતના અર્થ લેાકાંતપર્યંત અવ્યાહત-અસ્ખલિતગતિ છે. વૈક્રિય અને આહારક અવ્યાહત ગતિવાળાં છે; પરંતુ તેજસ અને કામણુની માફક આખા લેકમાં અવ્યાહત ગતિવાળાં નથી, કિન્તુ લેાકના ખાસ ભાગ-ત્રસનાડીમાં અભ્યાહત ગતિવાળાં છે. તેજસ અને કાણુના સંબંધ આત્માની સાથે પ્રવાહરૂપે જેવા અનાદિ છે, તેવા પહેલાં ત્રણ શરીરને નથી; કેમકે એ ત્રણે શરીરા અમુક સમય પછી કાયમ રહી શકતાં નથી. ૩૩૩ પ્ર. કાર્મા, તેજસ વગેરે શરીર, જે પરમાણુનાં બનેલાં હોય તે પ્રત્યેક શરીર માટેનાં પરમાણુ જુદાં જુદાં હોય કે એક જ ? ઉ.ફાર્માણુ, તેજસ, અહારક, વૈક્રિય અને ઔદારિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે; પરંતુ તે આત્માના પ્રયાગ પ્રમાણે પરિણમે છે. સત્પુરુષ એ જ કે નિર્શાદન જેને આત્માના ઉપયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy