SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ૩૩૪ પ્ર. જીવવા માટે ચાર પ્રાણુ જરૂરી કહ્યા છે તે ક્યા છે ? ઉ. બલ, ઈન્દ્રિય, આયુષ્ય અને ઉચ્છવાસ. કાય, વચન અને મન એ ત્રણ બળપ્રાણું છે. સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રિત એ પાંચ ઈન્દ્રિયપ્રાણ છે. ૩૩૫ પ્ર. વજઋષભનારાચસંઘયણ એટલે શું ? ઉ. સંઘયણ એટલે શરીરને બાંધે, તે બાંધાઓ પાંચ પ્રકારના હોય છે. તે પૈકી વજઋષભનારા સંઘયણ સર્વ શ્રેષ્ઠ છે, તે શરીર એટલું તો મજબૂત હોય છે કે મહાપીડાને પણ તે સહજ રીતે સહી શકે છે. તીર્થકરને નિયમથી વજગષભનારાચસંઘયણ હોય છે. (તને અર્થ એમ નથી કે બીજાને ન હોય) તદુલમચ્છને પણ હોય છે, પરંતુ તેને કેવળજ્ઞાન થતું નથી. ૩૩૬ પ્ર, બાળપણા કરતાં યુવાવસ્થામાં ઈન્દ્રિયવિકાર વિશેષ કરી ઉત્પન્ન થાય છે, તેમાં કારણ હોવાં જોઈએ ? ઉ. ક્રમે જેમ વય વધે છે, તેમ તેમ ઈન્દ્રિયબળ વધે છે, તેમ તે બળને વિકારનાં હેતુ એવાં નિમિત્તો મળે છે, અને પૂર્વભવના તેવા વિકારના સંસ્કાર રહ્યા છે, તેથી તે નિમિત્તાદિ વેગ પામી વિશેષ પરિણામ પામે છે. જેમ બીજ છે, તે તથારૂપ કારણે પામી ક્રમે વૃક્ષાકારે પરિણમે છે, તેમ પૂર્વના બીજભૂત સંસ્કારો ક્રમે કરી વિશેષાકારે પરિણમે છે. ૩૩૭ પ્ર. શરીરના અમુક ભાગમાં પીડા હોય ત્યારે જીવ ત્યાં વળગી રહે છે, તેથી જે ભાગમાં પીડા છે તે ભાગની પીડા દવા સારું તમામ પ્રદેશ તે તરફ ખેંચાતા હશે ? ઉ. તે વેદના વેદવામાં કેટલાક પ્રસંગે વિશેષ ઉપગ રોકાય છે અને બીજા પ્રદેશનું તે ભણી કેટલાક પ્રસંગમાં સહજ આકર્ષણ પણ થાય છે. આમ થવાને હેતુ પણ અવ્યાબાધ નામને જીવસ્વભાવ તથા પ્રકારે પરિણામી નહિ હોવાથી, તેમ વિયંતરાયના ક્ષપશમનું સમવિષમ પણું હોય છે. ૩૩૮ પ્ર. સંજ્ઞાની-વ્યાખ્યા શું છે ? મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy