SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ જીવે તેવો વ્યવહાર ગ્રહણ કર કે જેથી પરમાર્થ પમાશે એમ. શાસ્ત્રનો આશય છે. ૯૨૪ પ્ર. શુષ્કઅધ્યાત્મી કેને કહેવાય અને તે જીવ કેવી રીતે બૂડે છે અને બીજાને અવળે પંથે દોરે છે ? ઉ. અધ્યાત્મગ્રંથ પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતભેદ થયા વિના અથવા દશા ર્યા વિના, વિભાવ ગયા વિના પિતાની વિષે જ્ઞાન કપે છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિ ઈરછક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ફરતા એવા, છોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને, કવચિત્ જ એવું નહિ હોય. ૯૨૫ પ્ર. અનાદિ એવા લેકને વિષે અનંત કાળ પૂર્વે વ્યતીત થવા છતાં, અનંતકેદી જીવોને, અનંતવાર મનુષ્યપણું મળ્યા છતાં, અત્યંત. થોડા જીવને આત્મકલ્યાણ પ્રાપ્ત થયું છે. તેનું શું કારણ ? ઉ. કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણે કાળને વિષે અત્યંત દુર્લભ છે. જીવને ખરી મુમુક્ષતા આવી નથી. પુરુષના દર્શન પ્રત્યે જીવને રુચિ થઈ નથી અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત્કર્શનને વિષે સન્દર્શનરૂપ ભ્રાંતિ તે છે. ૯૨૬ પ્ર. મિશ્યાદર્શન, નિજેચ્છાપણું (સ્વછંદ) અને અસદર્શન કેવા અભિ પ્રાયથી નીપજે છે ? ઉ, “આત્મા નામને કઈ પદાર્થ નથી,” એવો એક અભિપ્રાય ધરાવે છે; “આત્મા દેહ સ્થિતિરૂપ છે, દેહની સ્થિતિ પછી નથી.” “આત્મા નામને પદાર્થ સંગિક છે,” એવો અભિપ્રાય કોઈ બીજા દર્શનને સમુદાય સ્વીકારે છે, “આત્મા અણુ છે,” આત્મા શન્ય છે,” “આત્મા પ્રકાશરૂપ છે,” “આત્મા જડ છે”, “આત્મા કૃત્રિમ છે.” વગેરે અભિપ્રાય ભ્રાંતિનું કારણ છે. સર્વ જિનાગમમાં કહેલાં વચને એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચન કહ્યાં છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy