SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ રહી શકે છતાં તે પરમાણુને ખાધ ન આવે. કાળ અને ક્ષેત્રના માપનું કારણ પણ પરમાણુ છે. ૩૮૪ પ્ર. પુદ્ગલ દ્રષ્યની પર્યાયના કેટલા ભેદ છે ? ઉ. શબ્દ, બંધ, સૂક્ષ્મ, સ્કુલ, સંસ્થાન, ભેદ, તમ, છાયા, ઉદ્યોત અને આતપ; આમ બધા પુદ્ગલ દ્રવ્યાની પર્યાયના દેશ ભેદ છે. પુદ્ગલની પર્યાયનુ અસ્તિત્વ સ્વતંત્ર છે, આત્મા માત્ર તેને જાણનારા છે. એવું યથા શ્રદ્ધાન અને જ્ઞાન કરવું તે ધર્મ છે. ૩૮૫ પ્ર. શબ્દ પર્યાયના કેટલા ભેદ છે ? ઉ. તેના બે ભેદ છે: ૧. ભાષાત્મક ૨. અભાષાત્મક. આમાં વળી. ભાષાત્મકના બે ભેદ છે: અક્ષરાત્મક અને અનઅક્ષરાત્મક ૩૮૬ પ્ર. અક્ષરાત્મક એટલે શુ? ઉ. સંસ્કૃત, ગુજરાતી આદિ ભાષાએ અનેક પ્રકારની છે. કાઈ પણ ભાષા હોય પર ંતુ તે જીવથી ખેાલાતી નથી. તે ભાષાપુદ્ગલેને વ્યંજનપર્યાય છે. ભાષા પુદ્ગલ દ્રવ્યના કારણથી ઉત્પન્ન થઈ છે, પણ જીવના કારણથી નથી. પુદ્દગલ દ્રવ્ય જગતનું તત્ત્વ છે તેમાં ભાષાવામાંથી શબ્દ થવાને યોગ્ય પરમાણુ શબ્દરૂપ પરિણમે છે. જીવની ઇચ્છાથી ભાષા થતી નથી. ૩૮૭ . તા પછી લાકડીમાંથી અવાજ કેમ નીકળતા નથી ? ઉ. ભાષાના કાળ (સમય) નથી, એટલે પરમાણુ તે રૂપે પરિણમતા નથી. ૩૮૮ પ્ર. અન અક્ષરાત્મક ભાષા એટલે શું? ઉ. એ ઇન્દ્રિય; ત્રણ ઇન્દ્રિય, ચાર ઈન્દ્રિય, અસ'ની પ ંચેન્દ્રિય, તિય ચેાની ભાષાને અનઅક્ષરાત્મક ભાષા કહે છે. મચ્છર અથવા માખીના અણુબણાટ તે પુદ્ગલના અવાજ છે, મચ્છરના જીવ છે તેથી તે અવાજ નીકળે છે કે ખેાલે છે તેમ નથી. ભગવાનની ધ્વનિ. અનઅક્ષરાત્મક છે. તે પણ પુદ્ગલની અવસ્થા છે. તીર્થંકરના આત્મા તેના કર્તા-હર્તા નથી. ૩૮૯ પ્ર. હવે અભાષાત્મક શબ્દના ભેદ પહેા. ઉ. તેના પ્રયાગિક તથા વૈસગ્નિક એમ બે ભેદ છે. તેમાં પ્રયેાગિકના તત, વિતત, ધન, સુષિર એમ ચાર ભેદ છે. લાકત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવા દુર્લભ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy