SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ ૧૩૦૪ પ્ર. સમ્યગ્દષ્ટિને કર્મફળ ભેગવતાં નિર્જ થાય ? ઉ, સમ્યગ્દષ્ટિ અંતરંગમાં એવા વૈરાગી હોય છે કે કર્મનું ફળ ભેગવતાં છતાં પણ કર્મની નિર્જરા કરી દે છે, તથા કાં તે તેમને બંધ થતા નથી અને કષાયને અનુસાર કદાચિત બંધ થાય તે તે બગાડ કરવાવાળા, સંસારમાં ભ્રમણ કરાવવાવાળો થતો નથી. સમ્યક્ત્વને અપૂર્વ મહિમા છે. ૧૩૦૫ પ્ર. શુભ–અશુભમાં ઉપગ વર્તતે હોય ત્યારે સમ્યક્ત્વનું અસ્તિત્વ કઈ રીતે હોય ? ઉ. સમકિત એ કાંઈ ઉપયોગ નથી. સમકિત એ તે પ્રતીતિ છે. શુભાશુભમાં ઉપયોગ વર્તતા હોય ત્યારે પણ શુદ્ધાત્માનું અંતરંગ શ્રદ્ધાન તે ધમને એવું ને એવું વર્તે છે. સ્વપરનું જે ભેદ વિજ્ઞાન થયું છે તે તો તે વખતે પણ વત જ રહ્યું છે. જેમ ગુમાસ્તા શેઠના કાર્યોમાં પ્રવર્તે છે, નફા-નુકસાન થતાં હર્ષ– વિષાદ પણ પામે છે, છતાં અંતરમાં ભાન છે કે નફા-નુક્સાનને સ્વામી હું નથી. જીવનાં પરિણામ ત્રણ પ્રકારનાં છે : શુદ્ધ, શુભ અને અશુભ. તેમાં મિથ્યાષ્ટિને અશુભની મુખ્યતા ઘણી છે, કવચિત શુભ. પણ તેને હોય છે, શુદ્ધ પરિણતિ તેને હોતી નથી. શુદ્ધ પરિણામની શરૂઆત સમ્યગ્દર્શનપૂર્વક જ થાય છે. ચતુર્થાદિ ગુણસ્થાને શુભની મુખ્યતા કહી છે, ને સાથે અંશે શુદ્ધ પરિણતિ તે સદાય વર્તે છે. જોકે શુદ્ધ ઉપયોગ ક્યારેક ક્યારેક હોય છે, પણ શુદ્ધ પરિણતિ તે સંદેવ વર્તે છે. અને સાતમાં ગુણસ્થાનથી માંડીને ઉપરના બધા સ્થાને એકલો શુદ્ધ ઉપગ જ હોય છે. પરણુતિમાં જેટલી શુદ્ધતા છે એટલે જ ધર્મ છે, તેટલો જ મોક્ષ માર્ગ છે. ૧૩૦૬ પ્ર. સમ્યજ્ઞાનીને પણ ક્રોધ, માન, માયા, લેભ તે હોય છે. આ કષાયો હોવા છતાં તે સમયે તેમને વિવેક નાશ કેમ થતો નથી ? વ્યવહાર ન માને તો તે નિશ્ચયભાસી છે અને જે વ્યવહારને ધમ માને તે વ્યવહારભાસી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy