SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ આ જગતનાં જીવો અવળી બુદ્ધિથી પિતાનું અને પરનું અહિત કરી રહ્યા છે. લાખ છની હિંસાના પાપથી પણ મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. ૮૨. પ્ર. આવા મિથ્યાત્વ જ્ઞાનવાળા છે કેણુ કાણુ છે અથવા કયાં ક્યાં છે ? ઉ, આવા જ ચારે ગતિમાં અને વીસે દંડકમાં છે. આ મિથ્યાત્વ જ્ઞાનવાળા જીવો પૃથ્વી, પાણી વગેરે પાંચ એકેન્દ્રિય, ત્રણ વિકલેન્દ્રિય, સમૂચિઈમ, તિર્યંચ, મનુષ્યમાં છે. ૮૨૧ પ્ર. ત્યારે એ મિથ્યા જ્ઞાન શાથી મટે ? ઉ. સમ્યકત્વ જ્ઞાનની પ્રાપિત થાય તે એ મિથ્યાત્વ છૂટે. મિથ્યાત્વને. અભાવ ફક્ત આત્માની સાચી શ્રદ્ધાથી જ થાય છે. ૮૨૨ પ્ર. ક્યા જીવ સ્થાનકે એ સમ્યફજ્ઞાન થાય છે ? ઉ. ચતુર્થ છવ સ્થાનકે એ સમ્યફજ્ઞાન થાય છે. ૮૨૩ પ્ર. મિથ્યાદર્શનના કેટલા પ્રકાર છે? ઉ. તેના બે પ્રકાર છેઃ (૧) અગૃહીત મિથ્યાત્વ અને (૨)ગૃહીત મિથ્યાત્વ૮૨૪ પ્ર. અગૃહીત મિથ્યાત્વ કોને કહે છે ? ઉ. વ દ્રવ્યનું કાંઇ કરી શકે કે શુભ વિક૯પથી આત્માને લાભ થાય. એવી અનાદિથી ચાલી આવતી માન્યતા તે મિથ્યાત્વ છે અને તે કેઈના શીખવવાથી થયું નથી માટે અગૃહીત છે. ૮૨૫ પ્ર. ગૃહીત મિથ્યાત્વ એટલે શું ? ઉ. જન્મ થયા પછી પરોપદેશના નિમિતથી જીવ જે અતરવશ્રદ્ધા ગ્રહણ કરે છે તે ગૃહીત મિથ્યાત્વ કહેવાય છે. જેને ગૃહીત મિથ્યાત્વ હોય તેને તે અગૃહીત મિથ્યાત્વ હોય જ. ૮૨૬ પ્ર. ગૃહીત મિથ્યાત્વ જાય તે અગૃહીત મિથ્યાત્વ પણ જતું રહે ને ? ઉ. ગૃહીત મિથ્યાત્વ ટળી જવાથી અહીંત મિથ્યાત્વ પણ ટળી ગયું હશે એમ નથી. ગૃહીત ટળી જવાથી અગૃહીત મિથ્યાત્વ ટકી પણ રહી શકે અને ટળી પણ જાય. પરંતુ ગૃહીત મિથ્યાત્વના અસ્તિત્વ અથવા હાજરીમાં અગ્રહીત મિથ્યાત્વ તો ટળી ન જ શકે તથા રાખ્યું કંઈ રહેતું નથી, અને મૂકયું કંઈ જતું નથી, - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy