SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ ગયાં એમ વાત નથી, પરંતુ આત્માના અનુભવ તરફ ઢળવાના વિશેષ પુરુષાર્થ બતાવવા માટે જ અવિપાક નિર્જરા કહી છે.) બીજી રીતે તેના બે પ્રકાર કહેવાય છેઃ ૧. અબુદ્ધિપૂર્વક અને ૨, કુશલમૂલક. નરકગતિમાં કર્મફળના વિપાથી ઉત્પન્ન થતી જે અબુદ્ધિપૂર્વક નિર્જરા થાય છે તે અકુશલઅનુબંધા છે અને પરિપહને જીતવાથી જે નિર્જ થાય છે તે કુશલમૂલા નિર્જરા છે. તે શુભ અનુબંધા અને નિરાનુબંધા હોય છે. પ૭૦ પ્ર. સકામ એટલે શું ? ઉ. સકામ નિર્જર ક્ષાપશમિક ભાવે થાય છે ! જે કર્મના અબંધનું કારણ છે. જેટલે અંશે સકામ નિર્જર (ક્ષાપશમિક ભાવે) થાય, તેટલે અંશે આત્મા પ્રગટ થાય છે. સ્વભાવના ઉદ્મ પુરુષાર્થપૂર્વક કર્મોનું ખરી જવું. અહીં સ્વભાવને પુરુષાર્થ બતાવવા માટે સકામ કહ્યું છે. ૫૭૧ પ્ર. અકામ નિર્જરા કોને કહે છે ? ઉ. અકામ નિર્જરા ઔદયિક ભાવે થાય છે. આ નિર્જરા જીવે અનંતીવાર કરી છે અને તે કર્મબંધનું કારણ છે. અહીં પણ કર્મનું નિર્જરવું હોય છે. પરંતુ આત્મા પ્રગટ થતું નથી. અનંતીવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જરા થઈ છે, તે ઔદયિક ભાવે, (જે ભાવ અબંધક નથી) થઈ છે. ક્ષપશમિક ભાવે થઈ નથી. કષાયની મન્દતાપૂર્વક નિર્જરા થઈ. તેમાં સ્વભાવને પુરુષાર્થ નથી, તેથી અકામ નિર્જરા કહી છે. પ૭ર પ્ર. નિર્જરાના બીજા ભેદ કેટલા છે ? ઉ. બે ભેદ છે. સ્વકાલ પ્રાપ્ત અને તપથી. સ્વકાલ નિર્જરા ચારે ગતિમાં થાય છે, તપથી ફક્ત વ્રતધારીને જ હોય છે. ૫૭૩ પ્ર. શું કરવાથી કર્મ નિજરે ? ઉ. બાર પ્રકારના નિદાન રહિત તપથી કર્મની નિર્જરા, વૈરાગ્ય ભાવને ભાવિત, અહંભાવ રહિત જ્ઞાનીને થાય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મની ઘણી નિજ રા કબીરા, જબ હમ પેદા હુઆ, જગ હસે હમ રાય, !' કરણી ઐસી કર ચલે, હમ હસે જગ રેય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy