SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬૬ પ્ર. જીવ કર્મમુક્ત કેવી રીતે થઈ શકે ? ઉ. નવાં કર્મને આવતાં અટકાવવાથી અને જૂનાં કર્મને ખપાવવાથી જીવ કર્મમુક્ત થઈ શકે છે. પ૬૭ પ્ર. કર્મ ક્યાંથી આવે છે ? કેમ તે આવતાં અટકી શકે છે ? અને કેવી રીતે તે ખપાવી શકાય છે ? ઉ. આસવરૂપી દ્વારથી કર્મ આવે છે, અને સંવરરૂપી કમાડથી તે આવતાં અટકે છે, તેમજ નિર્જરાથી અગાઉનાં કર્મ ખપે છે. પ૬૮ . નિર્જરા એટલે શું ? ઉ. જ્ઞાની સમ્યગદષ્ટિ એટલે જેટલો આત્મમનનને કે આત્માનુભવને અભ્યાસ કરે છે તેટલે તેટલો તે રત્નત્રય ભાવથી અધિક કર્મોની નિર્જરા કરે છે. તે પુણ્યના ઉદયમાં અને પાપના ઉદયમાં સમભાવ રાખે છે. આસક્ત થતા નથી. વેદના વિપાનું નામ નિજ રા છે. જ્ઞાની ભેદ વિજ્ઞાનથી આત્માને સવે રાગાદિ પરભાવોથી ભિન્ન અનુભવ કરે છે. તેથી તેને કર્મ ખરે છે. આત્મજ્ઞાન સહિત તપ તે નિર્જરાનું કારણ છે, અહંકારરહિત, કદાઝહરહિત, લેકસંજ્ઞારહિત, આત્મામાં પ્રવર્તવું તે નિર્જર. સર્વ કર્મબંધને સર્વથા ક્ષય તે મોક્ષ અને તેને અંશથી ક્ષય તે નિર્જરા. આ રીતે બનેનું લક્ષણ જોતાં સ્પષ્ટ થાય છે કે, નિર્જરા એ મોક્ષનું પૂર્વગામી અંગ છે. (જુએ પ્રશ્ન ૧૦૨૪, ૧૦૨૫, ૧૦૨૬).. પ૬૯ પ્ર. નિર્જરાના મુખ્ય કેટલા ભેદ છે ? ઉ. નિર્જરાના બે ભેદ છે. એક સકામ એટલે સહેતુ (મેક્ષના હેતુભૂત નિર્જર અને અકામ એટલે વિપાક નિર્જરા. નિર્જરાના બીજા પણ બે ભેદ છે. સંવિપાક નિર્જરા એટલે પૂર્વનાં બાંધેલાં કર્મો ઉદયમાં આવી ખરી જવાં અને અવિપાક નિર્જરા એટલે સ્વભાવ સન્મુખ થઈ કર્મો ફળ આપે તે પહેલાં જ ખેરવી દેવાં. (અવિપાક નિર્જરામાં પણ કર્મોને ખરી જવાનો સમય તે પાકી ગયો હતો. તે કર્મ ખરવાનાં હતાં અને તેમ છતાં તે સમય પહેલાં ખરી હેય સસ ચીજ તે, યોગ્ય સ્થળે વપરાય; કેમ કટારી કનકની, પેટ વિષે ઘૉચાય? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy