SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમે અવિરતિ ભાવ કંઈક ઘટયો છે અને અપ્રત્યાખ્યાનાવરણ, કષાય છૂટી ગયા છે. છઠું અવિરતિ ભાવ બિલકુલ છૂટી ગયો છે અને પ્રત્યાખ્યાનાવરણ કષાય પણ રહ્યા નથી. સાતમે પ્રમાદ ભાવ રહ્યો નથી, માત્ર કષાય અને યોગ છે. આઠમે કષાય અને વેગ છે પણ અતિ મંદ છે. નવમે હાસ્ય, રતિ, અરતિ, શાક, ભય, જુગુપ્સા નેક્ષાય નથી, સંજવલન ચાર કષાય અને ત્રણ વેદ અતિ મંદ છે. દશમે કેવળ સૂક્ષ્મ મોહ કષાય અને એગ છે. અગિયારમે, બારમે અને તેરમે ગુણસ્થાને કેવળ યોગ છે. ચૌદમામાં યોગ પણ રહેતો નથી. પર પ્ર. બંધતત્વ કોને કહેવાય ? ઉ. આત્માના પ્રદેશ સાથે કર્મ પુદ્ગલનું બંધાવું તેનું નામ બંધતત્વ. પ૬૩ પ્ર. સ્ત્ર અને બંધ થવામાં મિથ્યાત્વ, અવિરતિ આદિ કારણે - સમાન છે તે આસવ અને બંધમાં શું ભેદ છે ? ઉ. જીવના મિથ્યાત્વ–મોહ-રાગ-દ્વેષરૂપ પરિણામ તે ભાવ આસ્રવ છે અને તે મલિન ભાવમાં સ્નિગ્ધતા એ ભાવ બંધ છે. પ્રથમ ક્ષણમાં કર્મનું જે આગમન છે તે આસવ છે અને આગમન પછી બીજી વગેરે ક્ષણોમાં જીવના પ્રદેશમાં તે સ્કર્ધનું રહેવું તે બંધ છે. ૫૬૪ પ્ર. સંવર એટલે શું ? ઉ, આવતા કર્મને અટકાવવાં તેનું નામ સંવર. આસવના નિરોધને સંવર કહે છે, અર્થાત્ નો વિકાર અટક તથા અનાગત (નવીન) કર્મોને આત્માની સાથે સંબંધ ન થવાને સંવર કહે છે. પદપ પ્ર. સંવરનાં સાધને બતાવો. ઉ. આત્મસ્વરૂપમાં રમણતા કરવી. આત્માને સર્વ રાગાદિ પરભાવથી ભિન્ન અનુભવ કરે. અજ્ઞાન અને રાગ-દ્વેષ રહિત વ્રત, સમિતિ, ગુપ્તિ, દશ ધર્મ, બાર ભાવના, બાવીસ પરિષહજય, ચારિત્ર, તપ વગેરે સંવરનાં સાધન છે. વચને વલભતા વધે, વચને વધે વેર; જળથી જીવે જગત આ, કદી કરે પણ કેર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy