SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ પણ બીજા ઘણા દેશ થાય છે. રાત્રિભેજન ત્યાગની જે પ્રતિમા ધારણ કરે છે તે રાત્રે રાંધેલું હોય, પીસેલું હોય, વલોવેલું હોય તે પણ ન ખાય. તેઓ રાત્રે આરંભરૂપે કરેલું લેતા નથી. ૧૦૭૮ પ્ર. શ્રાવકની ભાષામાં કયા ગુણ હોવા જોઈએ ? ઉ. શ્રાવકે ભાષાના આઠ ગુણ ધારણ કરવા જોઈએ. ૧. અવસરે થોડું બોલે, ૨. ઈષ્ટ મિષ્ટ અને મને બેલે, ૩. સમયોચિત બેલે, ૪. ચતુરાઈ સહિત બેલે, ૫. અભિમાનરહિત બેલે, ૬. મર્મભેદક ન બોલે, ૭. શાસ્ત્રની સાક્ષીયુક્ત બેલે, ૮. સાતાકારી બેલે. ૧૦૭૮ પ્ર. નામધારી શ્રાવક (જૈન કૂળમાં જન્મેલા)ના પણ કેવાં લક્ષણ હોય ? ઉ. સાત અભક્ષ્ય અને વ્યસનનો ત્યાગ હોય. (જુઓ પ્રશ્ન ૮૩૧ ૮૩૨) કંદમૂળને પણ ત્યાગ હોય. જે દારૂ, માંસ અથવા મધનું સેવન કરતા હોય તે તે નામમાત્રને પણ જૈન નથી, જીનવાણી સાંભળવાને પાત્ર પણ નથી. જેમાં અગણિત ત્રસ જીવ હોય છે એવાં પાંચ ઉદ્બર ફળે જે ખાય છે; અથાણાં ખાય છે; રાત્રિભેજન કરે છે તે નામ માત્ર પણ જૈન નથી. આ ચીજોનું સેવન તે નામધારી જૈનને પણ ન હોવું જોઈએ. પ્રત્યેક જૈન માત્રને સપ્ત વ્યસનને ત્યાગ અને આઠ મૂળગુણાનું પાલન સર્વ પ્રથમ હોવું જોઈએ. લીલેરી ઉપર વિના કારણે પગ દઈને ચાલવું તે ન હોય. જિનવાણું સાંભળતી વખતે શાસ્ત્રને વિનય ને બહુમાન રાખવા જોઈએ, શાસ્ત્રને નીચે મૂકાય નહિ (શાસ્ત્રને પગ લગાડાય નહીં, પાનાં ફેરવતાં થૂક લગાડાય નહ), શાસ્ત્રની ઉપર કોણને ટેકે (અથવા બીજી કોઈ રીતે ટેકા) દેવાય નહિ, પગ ઉપર પગ ચઢાવીને શાસ્ત્ર શ્રવણ કરવા બેસાય નહિ, રૂમાલ કે પાને આદિથી હવા ખવાય નહિ (તે પછી પંખાની હવા કે એરકંડીશનની ઠંડક તે કેમ ખવાય, ન જ ખવાય), ઝેલા ખવાય નહિ, પ્રમાદથી બેસાય નહિ વિગેરે વિગેરે. કેટલાય Kાની કે અજ્ઞાની જન સુખ દુ:ખ રહિત ન કોય જ્ઞાની વેદે હૈયથી અજ્ઞાની વેદે રાય” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy