SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ४४ શોધતાં જડે તે કલ્યાણ થાય. દાનધર્મમાં પ્રવૃત્તિ થાય; શરીરનું શાતાશાળિયાપણું ટળે અને વાત્સલ્ય તથા પ્રભાવનારૂપ ગુણ વૃદ્ધિ પામે આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે. સ્વાલખી ઉપયોગરૂપ સ્વરૂપને સાધીને જે ક્ષેત્રથી સિદ્ધ થયા તે જ ક્ષેત્રે સમણીએ ઉર્વ સિદ્ધપણે બિરાજે છે. તેના સ્મરણના કારણરૂપ આ તીર્થો નિમિત્ત છે. ૧૧૪૩ પ્ર. હાલના વખતમાં મનુષ્યનું આયુષ્ય કેવી રીતે વ્યતીત થાય છે ? ઉ. હાલના વખતમાં મનુષ્યનું કેટલુંક આયુષ્ય બાળપણમાં જાય, કેટલુંક સ્ત્રી પાસે જાય, કેટલુંક નિંદ્રામાં જાય, કેટલુંક ધંધામાં જાય, અને સહેજ રહે તે કુગુરુ લૂંટી લે. ૧૧૪૪ પ્ર. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એવો ખેદ ઉત્પન્ન થયા કરે તે શું વિચારવું ? ઉ. એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોને ધર્મ જે દેહાદિ સબંધથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ–શુદ્ધ-ચૈતન્ય સ્વરૂપ છે, એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચારિત્ર પર દષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. ૧૧૪૫ પ્ર. સંલેખનાગ્રત લેનાર અનશન આદિ દ્વારા શરીરને અંત આણે છે, એ તે આત્મહત્યા થઈ, તો પછી એને વ્રત તરીકે કેવી રીતે યોગ્ય ગણાય ? ઉ. દેખીતું દુઃખ હોય કે દેખીતે પ્રાણુનાશ હોય તેટલા માત્રથી તે હિંસાની કોટિમાં નથી આવતાં. યથાર્થ હિંસાનું સ્વરૂપ રાગ, દ્વેષ અને મેહની વૃત્તિથી ઘડાય છે. સંલેખના વ્રતમાં પ્રાણને નાશ છે ખરે, પણ તે રાગ, દ્વેષ કે મેહથી ન થતો હોવાથી હિંસા કોટિમાં આવતા નથી. - રાજા રાણું ચકધર હથિયનકે અસવાર, મરના સબકે એક દિન, અપની અપની વાર.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy