SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ૪૫૦ પ્ર. કાળચક્ર એટલે શું ? ઉ. દશ કેડીક્રેડી સાગરોપમને એક અવસર્પિણી કાળ અને દશ ડાડી સાગરોપમને એક ઉત્સર્પિણી કાળ, તે બંને મળીને વીશ કેડાડી સાગરોપમનું એક “કાળચક્ર” કહેવાય. ૪૫૧ અ. અવસર્પિણી તથા ઉત્સપિણી એટલે શું ? ઉ. અવસર્પિણી એટલે આરાની ઘટતી દશા. અવસર્પિણી કાળમાં દિવસે દિવસે શુભ ભાવોની હાનિ થાય અને ઉત્સર્પિણી કાળમાં દિવસે દિવસે શુભ ભાવની વૃદ્ધિ થાય. ૪૫ર પ્ર. એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીના કેટકેટલા આરા થાય ? ઉ. છ–છે. ૪પ૩ પ્ર. એ છ આર સરખા હોય છે કે નાના મોટા ? ઉ. નાના મોટા હોય છે. (જુઓ પ્રશ્ન-૪૫૬). ૪૫૪ પ્ર. કેટલા સમયમાં એક કાળ ચક્ર થાય છે ? ઉ. એક એજનને લાંબે, પહોળે અને ઊંડે કૂ હોય તેમાં (મુગલિયાના) અત્યંત બારીક વાળના અસંખ્ય ખંડ કરીએ, તે અસંખ્ય ખંડવાળા વાળ ને તળાથી તે ઉપર સુધી ખૂબ (સજ્જડ) ઠાંસીને તે કુ ભર્યો હોય, કે જેના પરથી ચક્રવર્તીનું લશ્કર ચાલ્યું જાય, પણ એક વાળ નમે નહિ, નદીને પ્રવાહ ધોધમાર ચાલ્યો જાય, પણ અંદર પાણી ઉતરી શકે નહીં. કદાચ અગ્નિ પણ તે ઉપર લાગે પણ અંદર જઈ શકે નહીં. તેવા કૂવામાંથી સો સો વર્ષે એકેક ખંડ કાઢતાં જ્યારે તે કૂવો ખાલી થાય તેટલામાં જેટલે વખત જાય તેને શાસ્ત્રકાર એક પલ્ય કહે છે. તેવા દશ ડાકોડ પત્યે એક સાગર થાય છે. વીસ ક્રેડાડ સાગર સમાય તેટલા વખતે એક કાલચક્ર થાય છે. ૪૫૫ પ્ર. એક કાળચક્રના કેટલા આરા થાય ? ઉ. બાર. પ્રથમ અવસર્પિણીના છ આરાનાં નામ : (૧) સુખમાં સુખમા, (૨) સુખમા, (૩) સુખમાં દુઃખમાં, (૪) દુખમાં સુખમાં, (૫) દુઃખમા (૬) દુખમા દુઃખમાં, પ્રભાતના સમયે જેના રાજ્યાભિષેકની શોભા દેખાય છે તે જ દિવસે તે જ રાજાની ચિતાને ધૂમાડો દેખવામાં આવે છે. આવી સંસારની વિચિત્રતા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy