SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ३०४ ૧૦૪૪ પ્ર. હવે પહેલાં પાંચ અણુવ્રત કહો. ઉ. (૧) જેમાં સંકલ્પી હિંસાને ત્યાગ હોય, આરંભી હિંસાને ત્યાગ ન હોય તે અહિંસા અણુવ્રત છે. સંકલ્પી હિંસાથી બચે છે. (૨) જે અસત્યથી રાજ્ય તરફથી શિક્ષા થાય જે બીજાઓને ઠગવા માટે વિશ્વાસઘાત માટે લાવવામાં આવે એવાં વચન ન કહેવાં અને પ્રિય હિતકારી યોગ્ય વચન કહેવાં, તે સત્ય અણુવ્રત. (૩) પડી ગયેલી કે ભૂલથી રહી ગયેલી કેઈની વસ્તુને નહિ લેવી તે અચૌર્ય અણુવ્રત છે. વિશ્વાસઘાત કરીને, ધમકી દઈને, વધ કરીને કોઈની સંપત્તિને શ્રાવક હરતા નથી. ન્યાયપૂર્વક અ૫ ધનમાં પણ સં તેષ રાખે છે. (૪) પોતાની વિવાહિત સ્ત્રીમાં સંતોષ રાખે અને પરસ્ત્રીઓને માતા, બહેન, અને પુત્રી જે સમજે છે તે બ્રહ્મચર્ય અણુવ્રત પાળે છે. પોતાની સ્ત્રી સાથે પણ સંયમ રાખી વતે છે. (૫) દશ પ્રકારના પરિગ્રહનું પિતાની આવશ્યકતા, યોગ્યતા અને ઈચ્છા પ્રમાણે જન્મપર્યત પ્રમાણ કરી લેવું, તેથી અધિકની લાલસાને ત્યાગ કરે તે પરિગ્રહપ્રમાણ અણુવ્રત છે. જેટલી સંપત્તિનું પ્રમાણ કર્યું હોય તેટલું પ્રમાણ પૂરું થાય ત્યારે શ્રાવક વ્યાપારાદિ બંધ કરી દે છે. ૧૦૪૫ પ્ર. ત્રણ ગુણ વત કેને કહે છે ? ઉ. (૧) દિગ્વિતિઃ જન્મપર્યત જે લૌકિક પ્રયોજન માટે દશ દિશાઓમાં જવાને કે વ્યાપારાદિ કરવાનો નિયમ કરવો તે દિગ્વિતિ છે. તેથી નિયમ કરેલા ક્ષેત્રની બહાર આરંભી હિંસા પણ ન કરે. (૨) દેશવિરતિ : જન્મપર્યત માટે જે પ્રમાણ કર્યું હોય તેથી થોડી હદમાં ઘટાડીને એક દિવસ, બે દિવસ, કે એક અઠવાડિયા માટે જવાને વ્યવહાર કરવાને નિયમ કરે તે દેશવિરતિ છે. (૩) અનર્થદંડ વિરમણ પાપજનક નિષ્પોજન કાર્ય અનર્થદંડ તે કહેવાય છે. નિયમિત ક્ષેત્રમાં પણ પ્રજનભૂત કાર્ય સિવાય દેહથી ભિન્ન સ્વપરપ્રકાશન પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આમા, તેમાં નિમગ્ન થાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy