SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ હo૫ વ્યર્થ આરંભ કરવાને ત્યાગ તે અનર્થદંડવિરતિ છે. તેને પાંચ ભેદ છે. ટૂંકમાં અનર્થદંડ વ્રત એમ બેલાય છે પણ પૂરું નામ “અનર્થદંડ-પરિત્યાગ છે. ૧૦૪૬ પ્ર. અનર્થદંડ વિરમણના પાંચ ભેદ ક્યા છે? (૧) પાપપદેશ: બીજાને પાપ કરવાને ઉપદેશ આપ. (૨) હિંસાદાન ઃ હિંસાકારી વસ્તુઓ બીજા માગે તેને આપવી. (૩) પ્રમાદચર્યા પ્રમાદ કે આળસથી નકામી વસ્તુઓને નાશ કરવો. જેમકે નકામાં ઝાડનાં પાન તોડવા. ' (૪) દુ:શ્રુતિઃ રાગદ્વેષ વધારનારી, વિષયભેગોમાં ફસાવનારી ખોટી કથાઓ વાંચવી કે સાંભળવી. (૫) અપધ્યાન : બીજાનું અહિત કરવાના વિચાર કરીને હિંસક પરિણામ રાખવા. અનર્થદંડવત બીજાં પણ ઘણું છે. પાંચ બતાવ્યા તે સ્થૂળતાની અપેક્ષાએ છે, અથવા દિગ્દર્શન માત્ર છે. આ પાપને ત્યાગ કરવાથી અણુવ્રતનું મૂલ્ય વિશેષ વધી જાય છે. ૧૦૪૭ પ્ર. શ્રાવકના ચાર શિક્ષાત્રત ક્યાં છે ? ઉ. જે વ્રતિના અભ્યાસથી સાધુપદમાં ચારિત્ર પાળવાની શિક્ષા મળે તેને શિક્ષાવ્રત કહે છે. શિક્ષાવ્રતના ચાર પ્રકાર છે. (૧) સામાયિક : એકાંતમાં બેસીને રાગદ્વેષ છોડીને સમતાભાવ રાખી આત્મધ્યાનને અભ્યાસ કરવો. (જુઓ પ્રશ્ન ૧૦૭૧ અને ૧૦૭૨) (૨) Dષધપવાસ : એક માસમાં બે આઠમ અને બે ચૌદશ પ્રેષધ દિન છે. તે દિવસે ઉપવાસ કે એકાસણું કરીને ધર્મધ્યાનમાં સમય વ્યતીત કરવો તે પ્રોષધોપવાસ છે. (૩) ભોગપભેગ પરિમાણઃ જે એક જ વાર ભોગવવામાં આવે તે ભાગ છે. જે વારંવાર ભેગવવામાં આવે તે ઉપભેગ છે. એવાં પાંચે ઈન્દ્રિયના ભેગવવા ગ્ય પદાર્થોની સંખ્યા દરરોજ સંયમની વૃદ્ધિ માટે નક્કી કરી લેવી. જો હેય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, તે સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy