SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫o રાધ નથી. જ્ઞાન સ્વયં ઊંધી પરિણતિથી હનપણે પરિણમે છે અને આ કારણથી જ અલ્પજ્ઞતા છે; આમાં ઉપાદાનકારણ તે પિતાનું જ છે, જ્ઞાનાવરણીય કર્મનું તે નિમિત્ત માત્ર છે. શુદ્ધવસ્તુ (આત્મા) તે પરમપવિત્ર છે; પરંતુ પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે પોતાના વિપરીત પુરુષાર્થથી થાય છે, કર્મના કારણે નથી થતી. રાગદ્વેષમાં અટક્યો છે તે કર્મના કારણે નથી અટક્યો પણ પોતાની ભૂલના કારણે અટકે છે. જેટલા પુરુષાર્થ એ છે તેટલું ઉપાદાન અજાગૃત રહે છે (જુઓ પ્રશ્ન ૧૬૧૮). ઉપાદાન બે પ્રકારના છે.--શાશ્વત ઉપાદાન અને ક્ષણિક ઉપાદાન. દ્રવ્યને જે ત્રિકાળી સ્વભાવ છે, તે શાશ્વત ઉપાદાન છે, અને તેની પ્રત્યેક સમયની પર્યાયની યોગ્યતા ક્ષણિક ઉપાદાન છે. ક્ષણિક ઉપાદાન પ્રત્યેક પર્યાયનું ભિન્ન ભિન્ન છે. અજ્ઞાનીને પ્રત્યેક સમયની પર્યાયના ઉપાદાનનું અર્થાત્ સ્વકાળનું ભાન નથી, તેથી તે એમ માને છે કે જેવું નિમિત્ત મળશે તેવી પર્યાય થશે, તે તેની મૂળમાં ભૂલ છે. સ્વકાળ ક્ષણિક ઉપાદાન છે તથા સ્વભાવ ત્રિકાળી ઉપાદાન છે. ૧૪૬૯ પ્ર. ઉપાદાન અને નિમિત્તને અર્થ શું ? ઉ. વસ્તુની સહજશક્તિ તે ઉપાદાન. સંગરૂપ કારણ તે નિમિત્ત, જે પોતાથી ભિન્ન પર વસ્તુ છે. નિમિત્તને અર્થ એ છે કે એક દ્રવ્યના કાર્યકાળે બીજી ચીજ અનુકૂળપણે હાજર છે ખરી, પરંતુ તે ચીજના લઈને કાર્ય થાય છે તેમ બિલકુલ નથી. ૧૪૭૦ પ્ર. સંગી કારણ નિમિત્ત કાર્યમાં કાંઈ કરે કે નહિ ? ઉ. કાંઈ પણ કરે નહિ; તે પણ ઉપચારથી કારણ કહેવાય છે, પણ વાસ્તવિક કારણ નથી. જેમ કે મોક્ષમાર્ગને ઉપાદાન શુદ્ધાત્મા સ્વયં અને ઉપચારથી દેવ–શાસ્ત્ર–ગુરુ આદિ સંગ તે નિમિત્ત, આ પ્રમાણે ઉપાદાન અને નિમિત્ત ભિન્ન ભિન્ન છે અને ભિન્ન ભિન્ન વસ્તુઓ એકબીજાને પરિણાવી શકે નહિ તે મહા સિદ્ધાંત છે. સત સ્વરૂપી આત્મા, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત, સમજે કે વિરલા, થઈ જાય તે ભવમુકત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy