SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ર૭ ૧૩૭૯ પ્ર. માણસ મરી જાય પછી તેના શરીરને શું કરે છે ? ઉ. અગ્નિમાં સળગાવી દે છે. ૧૩૮૦ પ્ર. તેને વેદના નહિ થતી હોય ? ઉ. ના, તેને વેદના ન થાય. ૧૩૮૧ પ્ર. શા માટે ન થાય ? ઉ. તેનામાં જીવ અને કાર્માણ શરીર નથી. ૧૨૮૨ પ્ર. કયાં સુધી આપણને સુખદુઃખ જાણવામાં આવે છે ? ઉ. શરીરમાં જીવ અને કાર્માણ શરીર છે ત્યાં સુધી. ૧૩૮૩, પ્ર. શરીરમાં જીવ કઈ જગ્યાએ રહે હશે ? ઉ. આખા શરીરમાં ( ગે) જીવ વ્યાપી રહ્યો છે. ૧૩૮૪ પ્ર, કોની પેઠે ? ઉ. તલમાં તેલ, દૂધમાં ઘી અને સ્કૂલમાં સુગંધ રહે છે તેની પેઠે.. ૧૩૮૫ પ્ર. જીવ શરીરને છોડીને ક્યાં જાય ? ઉ. પોતાના કર્માનુસાર બીજા શરીરમાં ઊપજે. ૧૩૮૬ પ્ર. બધા જીવને બીજા શરીરમાં ઊપજવું પડે ? ઉ. સિદ્ધ થાય તેમને બીજા શરીરમાં ઊપજવું ન પડે. ૧૩૮૭ પ્ર. જીવ લેકમાં ઝાઝા કે અલેકમાં ? ઉ. અલકમાં એકલું આકાશ છે, ત્યાં જીવ એક પણ નથી. લોકમાં અનંતા જીવ ભર્યા છે. ૧૩૮૮ પ્ર. જીવનાં અન્ય નામો આપો ? ઉ. આત્મા, સમય, જસુ વગેરે. ૧૩૮૯ પ્ર. જીવને સમય કેમ કહે છે ? ઉ. સમય શબ્દનો અર્થ આ પ્રમાણે છે. “સમ” એટલે એકપણું અને અય ગતી’ ધાતુ છે, તેને અર્થ ગમન પણ છે અને જ્ઞાન પણ છે. તેથી પરિણમન અને જાણવું એવી બે ક્રિયાને એક સમયમાં એકત્વપણે કરે છે તે સમય છે. આત્માને સમય એટલા માટે કહ્યું જે માન-મનથી દુખીસુખી હું કરું પર જીવને, તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy