SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ દયાન અને જીવનમાં બંધન ૧૪૯૪ પ્ર. ધ્યાન એટલે શું ? ઉ. ઉત્તમ સંહનનવાળાનું જે એક વિષયમાં અંતઃકરણની વૃત્તિનું સ્થાપન તે ધ્યાન. તે અંતર્મત પર્યત રહે છે. ૧૪૯૫ પ્ર. દરાનના કેટલા પ્રકાર છે ? ઉ. આd, રૌદ, ધર્મ અને શુકલ એ ચાર પ્રકાર ધ્યાનના છે. તેમાંથી પછીનાં બે મોક્ષનાં કારણ છે. જે આ લોક સંબંધી ફળ ચાહે છે, તે સૌને આd કે રૌદ્ર ધ્યાન હોય છે. ધ્યાનના ઘણું ઘણું પ્રકાર. છે. એ સર્વમાં શ્રેષ્ઠ એવું તે આત્મા જેમાં મુખ્ય પણે વતે છે, તે ધ્યાન કહેવાય છે, અને એ જ આત્મધ્યાનની પ્રાપ્તિ, ઘણું કરીને આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના થતી નથી. ૧૪૯૬ પ્ર. આર્તધ્યાન કેને કહે છે ? ઉ. આ શબ્દમાં મૂળ ધાતુ “ઋત” છે. ઋત્તને અર્થ દુઃખ કે પીડા થાય છે એ રોતે દુઃખના નિમિત્તથી કે દુઃખમાં જે સંકલેશ, ભાવ થાય છે કે આર્તધ્યાન છે. કોઈ પણ પરપદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે, અને કઈ પણ પરપદાર્થના વિયેગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે. વ્યાપાર આદિમાં હાનિ થાય, પુત્ર પરદેશમાં હોય ત્યારે ઘરના માણસને ચિંતાનાં પરિગુમ થાય, સુંદર સ્ત્રીને વિયેગથી ચિંતા થાય, ઘરમાં સ્ત્રી પ્રતિકૂળ વર્તન કરે, દુકાન સારી ન ચાલે, પુત્ર-પુત્રી આજ્ઞાપાલક ન હોય, એવા પ્રસંગે પિતાને કારણથી થવાવાળાં શોકનાં પરિણામ તે આર્તધ્યાન છે. આર્તધ્યાન કરતાં ધર્મધ્યાનમાં વૃત્તિ લાવવી એ જ શ્રેયસ્કર છે અને જેને માટે આર્તધ્યાન ધ્યાવવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy