SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ ૨૧૪ પ્ર. ત્યારે શું સિદ્ધ અને સંસારી જીવાનું પરિમાણ સરખું જ છે ? . નહિ, સિદ્ધના કરતાં સંસારી જીવેા અન તાગુણા અધિક છે. ૨૧૫ પ્ર. સિદ્ધ અને સંસારી જીવેનું પરિમાણ વધે ઘટે ? ઉ. હા, સંસારી જીવેા જેમ જેમ કમ ખંધનથી છૂટતા જાય છે તેમ તેમ તેએ સિદ્ધ થતા જાય છે. એટલે સંસારી જીવ ધટે છે અને સિદ્ધ્ વધે છે પણ સંસારના કદાપિ ઉચ્છેદ થવાનેા નહિ. (જુએ પ્રશ્ન ૩૫, ૨૪૯ અને ૨૫૦) ૨૧૬ પ્ર. ત્યારે શું સંસાર અને જીવ! આ પ્રમાણે જ રહેવાના ? ઉ. આ સોંસાર-વિશ્વના કયારેય પણ ઉચ્છેદ નહિ જ થવાના. ૨૧૭ પ્ર. સિદ્ધના આઠ ગુણુ ક્યા ? ઉ. આઠ ગુણ આ પ્રમાણે છે. જ્ઞાન, દર્શન, સુખ અને વી. આ ચાર અનુજીવી ગુણ, અમૂર્તિ ક અથવા સૂક્ષ્મત્વ, અગુરુલઘુત્વ, આવ્યાબાધત્વ, અને અવગાહના. આ ચાર પ્રતિજીવી ગુણુ, આ આઠે ગુણુ વ્યવહારથી કહ્યા છે. નિશ્ચયથી તા દરેક સિદ્ધ ભગવાને અનંત ગુણુ સમજવા. વિશેષ ભેદનયે નિતિત્વ (ગતિરહિતપણું), નિરિન્દ્રિયત્વ (ઈન્દ્રિયરહિતપણુ), નિષ્કાયત્વ (શરીરરહિતપણુ), નિયેૉંગત્વ (યાગરહિતપણું), નિર્વે દત્વ (વૈદરહિતપણુ), નિષ્ણાયત્વ (મ્પાયરહિતપણું), નિર્દેમત્વ (નામ રહિતપણું),નિર્વાંત્વ(ગોત્રરહિતપણું),નિરાયુષત્વ(આયુષ્યરહિતપણું), ઇત્યાદિ વિશેષ ગુણા તેમજ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વાદિ સામાન્ય ગુણા અનંત જાણવા. ૨૧૮ પ્ર. સિદ્ધ ભગવતામાં ઊંચ, નીચ વગેરે હાય છે ? ઉ. ના, એમાં કાઇ ઊંંચ, નીચપણું નથી. તેમ જ જ્યાં એક બિરાજે છે ત્યાં અન્ય અનેક સિદ્ધ અવગાહ પામી શકે છે. ૨૧૯ પ્ર. સિદ્ધ ભગવંત કાં બિરાજમાન છે? ઉ. તે લેાકના અગ્રભાગમાં લેાકશિખર ઉપર સિદ્ધક્ષેત્રમાં સ્થિર થાય. છે. સ કર્માંથી રહિત થવાથી સિદ્ધના આત્મા સ્વભાવથી ઉપર જાય છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માના નાશ પણ કાંથી હાય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy