SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ મદ, ગર્વ, (૧૬) મેહ, (૧૭) રતિ-અરતિ, (કુચિ-અરુચિ) (૧૮) ચિંતા. ૨૧૧ પ્ર. વીતરાગી ભગવંતો, સયોગી કેવળી, અરિહંત ભગવાન વગેરેને નિર્વાણ ન પામે ત્યાં સુધી હરતાં ફરતાં કર્મને બંધ પડે કે નહિ ? અને પડે તે તે કર્મોના ફળ ક્યારે ભોગવે ? ઉ. વીતરાગી ભગવંત વગેરેને નામકર્મોદયથી મન, વચન, કાયાના ત્રણ યોગથી શુભ પ્રવૃત્તિ થાય છે. તેથી શાતવેદનીયને બંધ પડે છે. કેવળ થયા પછી જ્યાં સુધી કેવળીને દેહ હાય છે ત્યાં સુધી દેહની હાજતેને લઈને કર્મ કરતા રહે છે; પરંતુ તેઓ અકષાયી હોવાથી પ્રકૃતિ અને પ્રદેશ એ બે બંધ થાય છે પણ સ્થિતિ અને અનુભાગ એ બે બંધ થતા નથી. આથી વીતરાગને પ્રથમ સમયે લાગેલાં સાતા, વેદનીય કર્મ પુદગલે બીજે સમયે વેઠી ત્રીજે સમયે નિર્જરે છે. અર્થાત દૂર કરે છે. આ ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહે છે. (જુઓ. પ્રશ્ન ૧૧૯૯-૧૨ ૦૦). ૨૧૨ પ્ર. કેવળજ્ઞાની સ્વઉપયોગમાં જ વર્તે છે તેમ શાસ્ત્રમાં કહ્યું છે તો તે. ઉપદેશ દે ? ઉ. તીર્થકર કોઈને ઉપદેશ દે તેથી કરી કાંઈ “પરઉપયોગ” કહેવાય નહિ. “પરઉપગ” તેને કહેવાય કે જેને ઉપદેશ દેતાં રતિ, અરતિ, હર્ષ, અહંકાર થતાં હોય, જ્ઞાની પુરુષને તે તાદામ્યસંબંધ હોતો. નથી જેથી ઉપદેશ દેતાં રતિ, અરતિ, ન થાય. રતિ, અરતિ થાય. તે “પરઉપયોગ” કહેવાય. જો એમ હોય તો કેવલી કાલોક જાણે છે, દેખે છે તે પણ ૫રઉપગ” કહેવાય; પણ તેમ નથી, કારણ તેને વિષે રતિપણું, અરતિપણું નથી. સિદ્ધાંતના બાંધા વિષે એમ સમજવું કે આપણી બુદ્ધિ ન પહોંચે તેથી તે વચને અસત છે એમ ને કહેવું. ૨૧૩ પ્ર. સિદ્ધ જીવ કેટલા છે ? અને સંસારી જીવ કેટલા છે ? ઉ. સિદ્ધ ભગવંત અનંતા છે અને સંસારી પણ અનંતા છે. જો યથાથ મૂળદષ્ટિથી જોઈએ તે જિનની પૂજા તે આત્મસ્વરૂપનું જ પૂજન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy