SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ (૪) સુખાનુબંધ : ભગવેલાં ઈન્દ્રિયસુખને યાદ કરવાં. પોતાનાં સ્વજન પુત્ર-પુત્રી, મિત્ર આદિને યાદ કરવાં તે મિત્રા સ્કૃતિને નામે ચે અતિચાર છે. (૫) નિદાન : ભવિષ્યમાં વિષયભેગ મળે એવી ઈચ્છા કરવી. ભવિષ્યના ભવમાં વિષયગ, દેવલેક આદિની વાંછા કરવી તે. નિદાન નામનો પાંચમે અતિચાર છે. ૧૭૮૮ પ્ર. ભાવમરણ કોને કહ્યું છે ? ઉ. ઉપગની મલિનતા એ ભરણ. વૃત્તિ પરભાવમાં રાચે એ જ ભાવમરણ આ મૂખ છવ સમયે સમયે પિતાને ઉપગ મલિન થાય તેવાં જ પરિણામ કરી રહ્યો છે. અને તેમ કરી ખુશી થાય છે. આવાં ભાવમરણને પિતાનું જીવન માને છે. આ ભયંકર ઘેલછા નહિ તે. બીજુ શું ? ૧૭૮૯ પ્ર મૃત્યુ આદિ ખેદજનક પ્રસંગમાં વિચારવાન પુરુષો કયા પ્રકારે ખેદને સમાવે છે ? ઉ. આ સંસારમાં મનુષ્ય પ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગે પ્રાપ્ત થાય છે તે અકથ્ય પ્રસંગેમને એક મૃત્યુ માટે ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદ વિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું અશરણપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગને મૂછંભાવે ખેદ ફરો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કમસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. ૧૭૯૦ પ્ર. ભરણુવેળાએ કેવી ભાવના ભાવવી ? ઉ. પરમયોગી એવા શ્રીષભદેવાદિ પુરુષ પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહને સંબંધ વ ત્યાં સુધી જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ, આત્મા અબાધ્ય અનુભવસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવ્રત્ત (ટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે, એમ પરમજ્ઞાની પુરુષને નિશ્ચય છે. ૧૭૯૧ પ્ર. મરણવેળાએ શ્રવણ યોગ્ય વચને કહો ? ઉ. ૦ હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું. દેહને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy