SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વભવમાં નેપાળમાં રાજકુમાર હતા. તે વિષે શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું હતું કે “એમણે મિથ્યા કહ્યું નથી.” વૈજનાથને આત્મસાક્ષાત્કાર નહોતો પણ તેઓ શ્વાસોચ્છવાસ રોતા તેથી એમનું મન નિર્મળ હતું, તેથી પોતાના અને બીજાના ભવ જાણી શકતા. ૧૬૨ પ્ર. જાતિસ્મરણજ્ઞાન થયું છે અથવા તેને અનુભવ યથાશ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય ? ઉ. અમુક દેશમાં અમુક ગામ, અમુક ઘેર પૂર્વે દેહ ધારણ . હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઈપણ વિદ્યમાનપણું હોય તે બીજા જીવને પણ પ્રતીતિને હેતુ સંભવે છે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે; અથવા જેને જાતિસ્મૃતિજ્ઞાન છે, તે પુરુષના (અથવા સ્ત્રીના) સંબંધમાં કોઈ જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષ કરીને આવે છે તેને સંબંધ જણાવતા કઈ પણ સ્મૃતિ થાય છે તેવા જીવને પણ પ્રતીતિ આવે. ૧૬૩ પ્ર. પુનર્જન્મ જાણી શકાય છે ? ઉ. જે પુરુષે ગધ્યાનાદિકના અભ્યાસબળ વડે સ્થિત હોય તેમાંના ઘણું પુરુષે ભવાંતર જાણી શકે છે અને એમ બનવું એ કાંઈ કલ્પિત પ્રકાર નથી. જે પુરુષને આત્માનું નિશ્ચયાત્મક જ્ઞાન છે, તેને ભવાંતરનું જ્ઞાન ઘટે છે, હોય છે. કવચિત જ્ઞાનના તારતમ્ય લયોપશમ ભેદે તેમ નથી પણ હતું; તથાપિ જેને આત્માનું પૂર્ણ શુદ્ધપણું વર્તે છે, તે પુરુષ તે નિશ્ચય તે જ્ઞાનને જાણે છે, ભવાંતરને જાણે છે, આત્મા નિત્ય , અનુભવરૂપ છે, વસ્તુ છે. ભગવતી સૂત્રમાં ભવાંતરનું વર્ણન કર્યું છે. ૧૬૪ પ્ર. આગળ ઉપર કર્યો જન્મ થશે તેની આ ભવમાં ખબર પડે ? અથવા અગાઉ શું હતા તેની ? ઊપજે ન આત્મા કેઈથી તેથી ન આમાં કાર્ય છે, ઉપજાવતું નથી કેઈને તેથી ન કારણ પણ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy