SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧0૯ (જે પિોસ્ટ્રીફાર્મ એટલે મરઘાઉછેરના વાડામાં ફક્ત મરઘીઓ જ હોય અને એક પણ મરશે ન હોય તો તે વાડામાં ઉત્પન્ન થતાં ઇંડાંને શાકાહારી ઇંડાં કહેવામાં આવે તો તે સાચું નથી. પ્રત્યેક ઈંડામાં જીવ હોય છે અને વળી ઇંડાંને ફેડતાં તરત જ તેમાં બીજા અસંખ્ય જીવ ઉત્પન્ન થઈ જાય છે.) ૩૨૨ પ્ર. જિનેશ્વર ભગવાને કેટલી વસ્તુઓ અભક્ષ્ય કહી છે? ઉ. જિનેશ્વર ભગવાને બાવીશ પ્રકારના અભક્ષ્ય કહ્યાં છે. (૧) કરા, (૨) દ્વિદળ (કાચા દૂધ-દહીં છાશ સાથે કઠોળ અને કઠોળવાળી કઈ ચીજ ખાવી તે) દહીંવડ–કાચા દહીંમાં પાણી ભેળવી તેનું ઘોળવું કરી તેમાં વડાં નાંખે છે. તે અમુક કાળ પછી ખદબદી. જાય છે. (૩) રાત્રિભેજન (૪) બહુ બીજવાળું ફળ જેવાં કે દાડમ, જામફળ, અંજીર, તેમાં જેટલાં બીજ તેટલા જીવ જાણવા (૫) રીંગણ (૬) અથાણું (૭) પીપળાના ટેટા (૮) વડના ટેટા, (૯) ઉમરડાં (૧૦) કોઠ અથવા કઠું બર ફળ (૧૧) પીપરના ટેટા. (૧૨) અજાણ્યું ફળ (૧૩) કંદમૂળ અથવા અનંતકાય (૧૪) માટી (૧૫) વિષાદિ પદાર્થ (૧૬) માંસ (૧૬) મધ (૧૮) માખણ (૧૯) મદિરા (ર૦) તુચ્છફળ જેમાં ખાવું થોડું અને નાંખી દેવું ઘણુંશેરડી, સીતાફળ, બોર, જાંબુ વગેરે (૨૧) બરફ, (૨૨) રસ ચલિત જે વસ્તુ બગડીને તેને રસ પલટી ગયો હોય, દુર્ગધવાળી બની ગઈ હોય, જેનાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ બગડી ગયાં હોય. ૩૨૩ પ્ર. શરીર કેટલો છે ? ઉ. શરીર પાંચ છે–દારિક, વિક્રિયક, આહારક, તેજસ અને કાર્માણ ઉપરના પાંચ પ્રકારોમાં જે શરીર પછી પછી આવે છે, તે પૂર્વ કરતાં સૂક્ષ્મ છે. ૩૨૪ પ્ર. દારિક શરીર કોને કહે છે ? ઉ. મનુષ્ય અને તિર્યંચના (પશુના) સ્થૂળ શરીરને ઔદારિક શરીર કહે છે. ૩૨૫ પ્ર. વક્રિયક શરીર કેને કહે છે ? ઉ. જે નાના–મોટાં પૃથક-અપૃથક આદિ અનેક ક્રિયાઓ કરે એવા . મને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy