SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ૨૨૮ પ્ર. મેક્ષમાં અનંત સુખ તેમને શામાંથી મળે છે ? ' તેમની પાસે સુખનાં શાં સાધને છે ? ઉ. સુખને આધાર બાહ્ય સાધન ઉપર નથી, પણ આપણી પોતાની માન્યતા ઉપર છે. સાચું સુખ સ્વાધીન છે, સહજ છે અને પોતાને જ સ્વભાવ છે. જેમ શેરડીને સ્વભાવ ગળ્યો છે, લીમડાને સ્વભાવ કડવે છે તેમ પિતાને કે નિજ આત્માને સ્વભાવ સુખ છે. તે આત્માને અવિનાશી ગુણ છે. આત્માને સ્વભાવને એક સમય માત્રને પણ અનુભવ સહજ સુખનું જ્ઞાન કરાવે છે. ૨૨૮ પ્ર. સિદ્ધ ભગવાનના સુખનું કંઈક વર્ણન આપો ? ઉ. આત્માની સહજાનંદ અનુભવ દશા એ વચનથી કહેવાની વાત નથી, વચન અગોચર છે, તે સુખ (આનંદ)નું વર્ણન શ્રી કેવળી ભગવાન પણ કરી શક્યા નથી. જેમ કેઈએ જન્મથી જ ઘી ખાધું નથી તેને ઘીને સ્વાદ કેવો છે તે શબ્દથી સમજાવી શકાય નહિ, પણ જ્યારે તે પોતે જ ઘી ચાખે ત્યારે જ તેને માલુમ પડી શકે છે. ૨૩૦ પ્ર. સિદ્ધ ભગવાન જે ક્ષેત્રમાં વિરાજી રહ્યા છે તે ક્ષેત્રને શું કહેવાય છે? ઉ. સિદ્ધક્ષેત્ર. ૨૩૧ પ્ર. સિદ્ધક્ષેત્ર કેવડું છે? ઉ. ૪૫ લાખ યોજન લાંબું પહોળું (ગોળાકાર) અને એક ગાઉન છઠ્ઠા ભાગ (૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલ) જેટલું જાડ૫ણે છે. (બૃહદ્ દ્રવ્યસંગ્રહમાં મેક્ષશિલા આઠ જન જાડી કહી છે. તેની ઉપર ધનાદધિ, ઘનવાત, અને તનુવાત નામના ત્રણ વાયુ છે. ત્યાં તનુવાત વલયની મધ્યમાં અને લેકના અંતે કેવળજ્ઞાનાદિ અનંત ગુણ સહિત સિદ્ધ છે. (જુઓ પ્રશ્નક્રમાંક ૮). ૨૩ર પ્ર. એટલા જ ક્ષેત્રમાં સિદ્ધ હોવાનું શું કારણ? ઉ. મનુષ્યક્ષેત્ર યાને અઢી દીપ ૪૫ લાખ જોજનના છે. મનુષ્ય ગતિમાંથી જ સિદ્ધ થાય છે; અઢી દ્વીપમાં કોઈપણ જગ્યા એવી નથી કે કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા નિગ્રંથને પંથ ભવ અન્તને ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy