SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સર્વાગે તે પંચેન્દ્રિય સંબંધી જ્ઞાન, દર્શન થતાં નથી, કેમ કે શક્તિનું તેવું તારતમ્ય (સવ) નથી, કે પાંચે વિષય સર્વાગે ગ્રહણ કરે. યદ્યપિ અવધિ આદિ જ્ઞાનમાં તેમ થાય છે. ૧૧૯ પ્ર. વર્તમાનકાળમાં આ ક્ષેત્રથી નિર્વાણપ્રાપ્તિ ન હોય એ સિવાય બીજા ક્યા ભાવની પણ જિનાગમમાં અને આચાર્યરચિત શાસ્ત્રને વિષે વિચ્છેદતા કહી છે? ઉ. કેવળજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, પૂર્વજ્ઞાન, યથાખ્યાત ચારિત્ર આહારકલબ્ધિ, જનકલ્પ, સૂક્ષ્મ સાંપરા ચારિત્ર, પરિહારવિશુદ્ધિ ચારિત્ર, લાયક સમકિત. (ક્ષપક શ્રેણિ, ઉપશમશ્રેણિ) અને પુલાકલબ્ધિ એ ભાવે મુખ્ય કરીને વિચ્છેદ કહ્યા છે. અથવા “પ્રવચન સારોદ્ધાર”માં કહ્યું છે કે જંબુસ્વામીને નિર્વાણ પછી નીચે પ્રમાણે દશ વસ્તુઓ વિચછેદ ગઈ ? (૧) કેવળજ્ઞાન (૨) મન:પર્યવજ્ઞાન (૩) પરમાવધિજ્ઞાન (૪) આહારકશરીર (૫) ત્રણ સંયમ -પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપરાય અને યથાખ્યાત (૬) ક્ષેપક શ્રેણી (૭) ઉપશમ શ્રેણી (૮) જુલાકલબ્ધિ (૯) જિનકલ્પ (૧૦) મોક્ષગમન. " પુલાલબ્ધિ એટલે ચક્રવર્તીના લશ્કરને પણ નાશ કરી શકે. તેવી લબ્ધિ . ૧૨૦ પ્ર. પક્ષ જ્ઞાનના પાંચ ભેદ કહો. ઉ. ૧. સ્મૃતિઃ પૂર્વે જાણેલી વસ્તુને યાદ કરીને જાણવી તે. ૨. પ્રત્યભિજ્ઞાન : દષ્ટાંત વડે વસ્તુને નિશ્ચય કરીએ તે. ૩. તર્કઃ હેતુના વિચારયુક્ત જે જ્ઞાન તેને તર્ક કહે છે. ૪. અનુમાનઃ હેતુથી સાધ્ય વસ્તુનું જે જ્ઞાન તે. ૫. આગમ : આગમથી જે જ્ઞાન થાય તે. ૧૨૧ પ્ર. શાસ્ત્રમાં જ્ઞાન પ્રગટ કર્યું છે તે કેટલા પ્રકારે છે ? ઉ. શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવા યોગ્ય છે. એક પ્રકાર ઉપદેશ”ને અને બીજો પ્રકાર “સિદ્ધાંત"ને છે. આ સંસારને શું કરે? અને તવાર થયેલી માને આજે સીરૂપે ભોગવીએ છીએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy