SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ રહેતું નથી. ત્યારે જે ક્ષય ભાવે પ્રાપ્ત થાય છે, તે જવાનું નહીં – નાશ પણ પામે નહિ અર્થાત્ મતિજ્ઞાનાદિ ચાર જ્ઞાન આવે તે જાય છે. કેવળજ્ઞાન આવેલું જવાનું નહિ. ૧૪૪૦ પ્ર. જીવના અસાધારણ પાંચ ભાવેશ શું બતાવે છે? ઉ. જડ ની સાથે જીવને અનાદિના સબંધ છે અને જીવ તેને વશ થાય છે તેથી વિકાર થાય છે, પણ કર્મીના કારણે વિકારભાવ થતા નથી એમ ઔયિક ભાવ સાષિત કરે છે. જો કે કમ સાથેના સંબંધ પ્રવાહથી અનાદિના છે તા પણ સમયે સમયે જૂનાં કર્મ જાય છે અને નવાં કર્મોના સંબંધ થતા રહે છે. તે અપેક્ષાએ તેમાં શરૂઆતપણું રહેતું હોવાથી (સાર્દિ હોવાથી) તે કર્મ સાથેના સંબંધ સર્વથા ટળી જાય છે—એમ ક્ષાયિકભાવ સાબિત કરે છે. કાઈ નિમિત્ત વિકાર કરાવતું નથી પણ જીવ પેાતે નિમિત્તાધીન થઇને વિકાર કરે છે. જીવ જ્યારે પારિામિક ભાવરૂપ પેાતાના સ્વભાવ તરફનું લક્ષ કરી સ્વાધીનપણું પ્રગટ કરે છે ત્યારે નિમિત્તાધીનપણું ટળી શુદ્ધતા પ્રગટે છે એમ ઔપશમિકભાવ સાધકદશાના ક્ષયાપમિકભાવ અને ક્ષાયિકભાવ એ ત્રણે સાબિત કરે છે. ૧૪૪૧ પ્ર. ઔપમિક ભાવના કેટલા ભેદ છે ? ઉ. તેના બે ભેદ છે : (૧) ઉપશમ સમ્યક્ત્વભાવ અને (૨) ઉપશમ ચારિત્રભાવ. ૧૪૪૨ પ્ર. ક્ષાયિકભાવના કેટલા ભેદ છે? ઉ. તેના નવ ભેદ છે. (૧) ક્ષાયિક સમ્યક્ત્વ, (૨) ક્ષાયિક ચારિત્ર,(૩) ક્ષાયિક દર્શન, (૪) ક્ષાયિક જ્ઞાન, (પ) ક્ષાયિક દાન, (૬) ક્ષાયિક લાભ, (૭) ક્ષાયિક ભાગ, (૮) ક્ષાયિક ઉપભાગ, (૯) ક્ષાયિક વીય. ૧૪૪૩ પ્ર. ક્ષાયેાપશર્મિક ભાવના કેટલા પ્રકાર છે? ઉ. તેના ૧૮ ભેદ છે. (1) સમ્યક્ત્વ, (૨) ચારિત્ર, (૩) ચક્ષુદન, જે અવિનાશી આત્માને ફ્રેહથી ભિન્ન જાણતા નથી તે ધાર તપશ્ચરણ કરવા છતાં મેાક્ષ પ્રાપ્ત કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy