SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ ભગવેલા ભોગોના સ્મરણને ત્યાગ, (૪) વૃષ્યષ્ટરસ ત્યાગઃ કામોદ્દીપક પુષ્ટ રસને ત્યાગ, (૫) સ્વશરીર સંસ્કાર ત્યાગ : પિતાના શરીરના સંગારને ત્યાગ. ૧૧૮૦ પ્ર. પરિગ્રહત્યાગવતની પાંચ ભાવનાનું સ્વરૂપ કહે. ઉ. મને અને અમને પાંચે ઈન્દ્રિયોના પદાર્થોને પામીને રાગદ્વેષ ન કરતાં સંતોષ રાખવો. સૂક્ષ્મસંગ એટલે ચાર કષાય, નવ નેકષાય અને એક મિથ્યાત્વ એ ચૌદ પ્રકારે અત્યંતર પરિગ્રહ છે, અને ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહ દશ પ્રકારે છે. બાહ્ય સંગ ત્યાગી અવ્યંતર સંગ ટાળવા મુખ્ય પુરુષાર્થ કરવાને છે. ૧૧૮૧ અ. જિનદીક્ષા અથવા મુનિદીક્ષા કેને કહે છે ? ઉ. દીક્ષા એને કહી છે કે જ્યાં ગૃહ અને પરિગ્રહને તથા મહિને ત્યાગ હોય, જ્યાં બાવીસ પરિષહેને ખમવાના હોય, કષાયોને વિજય કરવાનું હોય, શત્રુમિત્રમાં સમભાવ છે. સ્તુતિ-નિંદા, લાભઅલાભમાં સમભાવ છે, તૃણ કે કંચનમાં સમભાવ છે, નિથ છે. માનરહિત છે, ભયરહિત છે, આશારહિત છે, રાગદ્વેષરહિત છે, મમત્વરહિત છે, અહંકારરહિત છે અને પશુ, સ્ત્રી, નપુંસક, વ્યભિચારી સ્ત્રી-પુરુષની સંગતિ કરે નહિ. વિકથા કહે કે સાંભળે નહિ, સ્વાધ્યાય તથા આત્મધ્યાનમાં લીન રહે તેને જિનદીક્ષા ૧૧૮૨ પ્ર. શાસ્ત્રમાં કેટલી જાતના મનુષ્યોને દીક્ષા આપવાની મના કરેલી છે? ઉ. શાસ્ત્રમાં ૩૯ જાતના મનુષ્યોને સંયમ (દીક્ષા) આપવાની મના કરેલી છે. એ ૩૯ મનુષ્યો આ પ્રમાણે છે : (૧) આઠ વર્ષથી નાની ઉંમર હોય, (૨) સિત્તેર વર્ષથી મોટી ઉંમર હોય, (૩) સ્ત્રીને દેખી કામાતુર થઈ જાય, (૪) પુરુષ વેદને ઉદય વધારે હોય, (૫) બહુ જ જાડું શરીર હોય (પૂરું બેલી ન શકે અથવા કદાગ્રહી હોય), (૬) મેટા રેગ હોય, (૭) શાન્તપણું પ્રાપ્ત કરવાથી જ્ઞાન વધે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy